મને મળ્યો હતો એ એક વોટ, 1999માં કેવી રીતે પડી ગઇ હતી વાજપેયી સરકાર? શરદ પવારે ખુલાસો કર્યો હતો

1999માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં NDA સરકાર માત્ર એક વોટથી પડી ગઈ હતી. લોકસભામાં એક વોટથી આ સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ હતી. તેને લઇને, લગભગ બે દાયકા બાદ, NCPના ચીફ શરદ પવારે ખુલાસો કર્યો છે કે NDAનો એ વોટ તેમને મળ્યો હતો.

NCP ચીફ પવારે ગુરુવારે (21 ફેબ્રુઆરી, 2025)ના રોજ દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનમાં નિલેશ કુમાર કુલકર્ણીના મરાઠી પુસ્તક 'સંસદ ભવન તે ધ સેન્ટ્રલ વિસ્ટા'ના વિમોચનના અવસર પર આ ખુલાસો કર્યો હતો. તેમણે 1999ની ઘટના બાબતે વાત કરી, જ્યારે તેઓ વાજપેયી સરકાર દરમિયાન વિપક્ષના નેતા હતા.

sharad-pawar4

શું બોલ્યા શરદ પવાર?

ભૂતકાળની ઘટનાને યાદ કરતા તેમણે કહ્યું કે, હું એ સમયે સંસદમાં વિપક્ષનો નેતા હતો. જ્યારે અમે વિપક્ષમાં હતા, ત્યારે તેમની વિરુદ્વ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ એક વોટથી પાસ થયો હતો. હવે હું તમને બતાવી રહ્યો છું કે મેં તે વોટ કેવી રીતે હાંસલ કર્યો. અવિશ્વાસ પ્રસ્તાવ પ્રસ્તાવ આવ્યા બાદ એક બ્રેક હતો. આ દરમિયાન હું બહાર ગયો અને કોઈ સાથે વાત કરી અને પાછો આવી ગયો. સરકાર એક વોટથી પડી ગઇ કારણ કે વ્યક્તિએ કંઇક અલગ નિર્ણય કરી લીધો હતો, પરંતુ હું એ નહીં બતાવું કે મેં કોની સાથે વાત કરી અને કેવી રીતે કરી.

જ્યારે એક વોટના કારણે પડી ગઇ હતી NDA સરકાર

17 એપ્રિલ 1999ના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ લોકસભામાં પોતાની સરકારની બહુમતી સાબિત કરવાની હતી, પરંતુ તે દિવસે વાજપેયી સરકારને 269 વોટ મળ્યા હતા, જ્યારે શાસક સરકાર વિરુદ્ધ 270 વોટ પડ્યા હતા. જેને કારણે તત્કાલિન વડાપ્રધાન વાજપેયીએ રાજીનામું આપવું પડ્યું હતું અને તેમની સરકાર પડી હતી.

sharad-pawar

આ સિવાય પવારે શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરે સાથે વિતાવેલા જૂના દિવસોને યાદ કર્યા. તેમણે કહ્યું કે, બાળ ઠાકરે તેમને શરદ બાબૂ કહેતા હતા. બધા ગયા બાદ, બાળાસાહેબ ઠાકરે મારી સાથે સૌહાર્દપૂર્ણ વાત કરતા હતા અને મને શરદ બાબૂ કહીને બોલાવતા હતા. ફોન પર તેઓ કહેતા હતા શરદ બાબૂ, હું તમને મળવા આવું કે તમે આવી રહ્યો છો?

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.