બિહારમાં કેટલા સાચા સાબિત થયા હતા ઓપિનિયન પોલ? આ વખતના સર્વે કોની સરકાર બનાવી રહ્યા છે?

બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ ચૂંકી છે. ચૂંટણી પંચે મતદાનની તારીખોની જાહેરાત કરી દીધી છે. એવામાં ચૂંટણી સંબંધિત ઘણા સર્વે સામે આવી રહ્યા છે, જેમાં નીતિશ કુમારના નેતૃત્વવાળા NDA અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કરના સંકેત મળી રહ્યા છે. આ વખતે ચૂંટણી રણનીતિકારમાંથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોરનો પ્રભાવ પણ ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એવામાં અગાઉના ઓપિનિયન પોલના ડેટાની સમીક્ષા કરવી જરૂરી છે કે તે કેટલા સચોટ સાબિત થયા હતા.

ગત બિહાર ચૂંટણી દરમિયાન જે ઓપિનિયન પોલ સામે આવ્યા હતા, તેમાં મહાગઠબંધન સરકારની બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે ઘણામાં NDA અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કરનું અનુમાન લગાવ્યું હતું. લોકનીતિ-CSDS ઓપિનિયન પોલમાં 38 ટકા, મહાગઠબંધનને 32 ટકા, ઉપેન્દ્ર કુશવાહાના ગઠબંધન માટે 7 ટકા, ચિરાગ પાસવાનની LJPને 6 ટકા અને અન્ય માટે 17 ટકા મતની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

92

આ વખતે NDA-મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર

આ વખતે ચૂંટણીની તારીખો અગાઉ સામે આવેલા ઓપિનિયન પોલમાં NDAને લીડ મળતી દેખાઈ રહી છે. જો ઓપિનિયન પોલના સરેરાશ આંકડાને જોવા જઈએ તો NDAને 40-52 ટકા મત અને 130-158 બેઠકો મળી શકે છે. મહાગઠબંધનને 37-41 ટકા મત અથવા 80-103 બેઠકો મળવાનું અનુમાન છે.

JVC ઓપિનિયન પોલ મુજબ, RJDના નેતૃત્વવાળા મહાગઠબંધનને 40 ટકા મત અને 81-103 બેઠકો મળવાની સંભાવના છે. આ ઉપરાંત પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીને 10-11 ટકા મત અને 4-6 બેઠકો મળી શકે છે. મુખ્યમંત્રી પદના ચહેરાની વાત કરવામાં આવે તો  નીતિશ કુમાર પહેલી પસંદ છે, તેમને 27 ટકા મત મળ્યા છે, જ્યારે તેજસ્વી યાદવ બીજા સ્થાન પર છે.

Bihar Election
ndtv.com

2020ની ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી હતી?

2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) 75 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી, જ્યારે ભાજપ 74 બેઠકો સાથે બીજા ક્રમે હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારની JDUની વાત કરીએ તો તેને 43 બેઠકો પર જીત મળી હતી. આ સિવાય કોંગ્રેસે 19, CPI(ML)એ 12, અસદુદ્દીન ઓવૈસીની AIMIMને  5, જીતન રામ માંઝીની પાર્ટીને 4, મુકેશ સહનીની VIPને 4, CPIને 2, CPI(M)ને 2, માયાવતીની BSPને 1, LJPને 1 અને એક અપક્ષ ઉમેદવાર જીત્યા હતા.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.