મારાથી ભૂલ થઈ, જેના કારણે મારી વહુ વિધવા બનીઃ કેન્દ્રીય મંત્રી

મેં એક ભૂલ કરીને મારા નશાના બંધાણી છોકરાના લગ્ન કર્યા, જેના કારણે આજે મારી વહુ વિધવા બની ગઈ. હવે બીજી કોઈ છોકરી વિધવા ન બને, તે માટે તમારી છોકરીઓના લગ્ન કોઈપણ નશાખોર સાથે ન કરો, પછી ભલે તે ગમે તેટલો મોટો હોદ્દો, પદ અને ગમે તેટલો પૈસાદાર પણ કેમ ન હોય.

ડ્રગ્સ સેવનની વિરુદ્ધ આ ટ્વીટ PM મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરે કર્યું છે. કૌશલ કિશોર આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન છે. લખનઉના મોહનલાલ ગંજથી સાંસદ છે. આ ટ્વિટમાં BJP સાંસદે પોતાના પુત્રના મોતનો ઉલ્લેખ કર્યો છે. વર્ષ 2020માં તેમના પુત્ર આકાશ કિશોરનું 28 વર્ષની વયે અવસાન થયું હતું. રિપોર્ટ્સ અનુસાર આકાશ કિશોરને દારૂની લત હતી. દારૂની લતને કારણે પુત્રના મૃત્યુ બાદ કૌશલ કિશોરે નશા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું, જે ત્યારથી સતત ચાલુ છે.

31 ડિસેમ્બર, 2022ની સવારે મંત્રી કૌશલ કિશોરે ટ્વીટ કરીને અપીલ કરી હતી કે છોકરીઓના લગ્ન નશો કરનારી વ્યક્તિ સાથે ન કરાવો.

વધુમાં, માદક દ્રવ્યોના સેવનથી થતી સમસ્યાઓનો ઉલ્લેખ કરતા મંત્રીએ લખ્યું કે, જો નશો ન કરતા કોઈ ગરીબ છોકરા સાથે લગ્ન કરશે તો ઓછામાં ઓછું છોકરીઓ સુરક્ષિત તો રહેશે અને શાંતિથી જીવશે, પરંતુ જેઓ નશો કરે છે, તેઓ ઘરમાં મારપીટ, લડાઈ, ઝઘડો, વિવાદ, અપશબ્દોનો ઉપયોગ કરશે. જેના કારણે પરિવારને સતત તકલીફ પડે છે અને મહિલાઓ અને બાળકોને સૌથી વધુ આવી તકલીફ પડે છે. આનાથી બચવા માટે, દરેકને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ તેમની છોકરીઓના લગ્ન એવા છોકરાઓ સાથે જ કરે જેઓ નશાના બંધાણી ન હોય. હું છોકરીઓને પણ વિનંતી કરું છું કે છોકરીઓએ નશાનો બંધાણી હોય તેવા છોકરાઓ સાથે લગ્ન કરવાની ના પાડવી જોઈએ. એવા છોકરાઓ સાથે જ લગ્ન કરો, જેઓ નશો કરતા નથી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત એક અહેવાલ મુજબ, તાજેતરમાં એક નશા મુક્તિ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, તેઓ પોતે સાંસદ હોવા છતાં અને તેમની પત્ની ધારાસભ્ય હોવા છતાં તેઓ તેમના પુત્રનો જીવ બચાવી શક્યા નથી, તો સામાન્ય જનતા કેવી રીતે કરી શકે? તેમણે કહ્યું હતું કે, મારો પુત્ર (આકાશ કિશોર) તેના મિત્રો સાથે દારૂ પીવાની લત ધરાવતો હતો. તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે ખરાબ આદત છોડી દેશે એમ ધારી 6 મહિના પછી તેના લગ્ન કરાવ્યા. જો કે, લગ્ન પછી તેણે ફરીથી દારૂ પીવાનું શરૂ કર્યું અને આખરે તેનું મૃત્યુ થયું. બે વર્ષ પહેલા 19 ઓક્ટોબરે આકાશનું અવસાન થયું ત્યારે તેનો પુત્ર માંડ બે વર્ષનો હતો.

કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરે સમગ્ર દેશને નશા મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે, આ માટે તેઓ સતત સક્રિય છે. તેમણે કહ્યું છે કે, જ્યાં સુધી ભારત નશાથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી નશા વિરુદ્ધ આંદોલન કરતા રહેશે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.