રાવણનો અહંકાર, બાબર અને ઔરંગઝેબના અત્યાચાર પણ સનાતન મટાડી શક્યા નહોતાઃ CM યોગી

દેશમાં સનાતનને લઈને બહેસ થોભવાનું નામ લઈ રહી નથી. એવામાં હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મ પર આંગળી ઉછાળનારા લોકો પર પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે દેશ સકારાત્મક રૂપે આગળ વધી રહ્યો છે, તો કેટલાક લોકોને સારું લાગી રહ્યું નથી. સરકારની ઉપલબ્ધિઓને નબળી કરવા માટે સનાતન પર આંગળી ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વિરોધ કરનારા ભૂલી ગયા કે રાવણના અહંકાર, બાબર અને ઔરંગઝેબના અત્યાચાર પણ સનાતન મટાડી શક્યા નહોતા. એવામાં આ તુચ્છ લોકો ક્યાંથી સનાતનને મટાડી શકશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, સત્ય એક છે, પરંતુ લોકો પોતાની મૂર્ખતાથી સૂર્ય પર થૂંકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને એ પણ ખબર નથી કે, થૂંક તેમના પર જ પડશે. રાવણ અને હિરણ્યકશ્યપ અને કન્સે ઇશ્વરીય સત્તાને પડકાર આપી દીધી હતી, પરંતુ તેમનું બધુ મટી ગયું. કંઇ ન બચ્યું. પરંતુ ઈશ્વર બચ્યો અને આજે પણ છે. સનાતન ધર્મ સત્ય છે, ક્યારેય નહીં મટી શકે. ઉત્તર પ્રદેશ સારા રાજ્યોમાં છે. આ ઈશ્વરની કૃપા છે. સનાતન જ્યારે ઊભો થયો ત્યારે અયોધ્યામાં રામ મંદિર અને કાશીમાં વધ્યો અને વધતો રહેશે.

તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના એક નિવેદનથી સનાતન પર બહેશ શરૂ થઈ હતી. ઉદયનિધિએ સનાતન ધર્મ ઉન્મૂલ સંમેલનમાં કહ્યું હતું કે, સનાતનનો માત્ર વિરોધ જ ન કરવો જોઈએ, પરંતુ તેને સમાપ્ત જ કરી દેવો જોઈએ. સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. કેટલીક વસ્તુઓનો વિરોધ ન કરી શકાય, તેને સમાપ્ત ક કરી દેવી પડે છે. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મલેરિયા કે કોરોનાનો વિરોધ નહીં કરી શકીએ. આપણે તેને મટાડવાનો છે. આ પ્રકારે આપણે સનાતનને પણ મટાડવાનો છે.

સનાતન પર વિવાદ વધવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના પર સખ્તાઈથી જવાબ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAના મંત્રીઓને કહ્યું હતું કે સનાતન ધર્મ પર ઉદયનિધિનું નિવેદનનો સારી રીતે (તથ્યો સાથે) જવાબ આપવામાં આવે. સનાતન ધર્મ પર ટિપ્પણી બાદ ઉદયનિધિએ જવાબ આપ્યો. તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ઉદયનિધિના નિવેદનનું સમર્થન કરતા કહ્યું હતું કે, ભાજપ સમર્થક તાકતો, દમનકારી સિદ્ધાંતો વિરુદ્ધ વિચાર સહન કરી શકતી નથી. તેમણે ખોટી કહાની ફેલાવી કે ઉદયનિધિના સનાતન વિચારોવાળા લોકોના નરસંહારનું આહ્વાન કર્યું.

About The Author

Related Posts

Top News

ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું

જયાં રોજના અબજો રૂપિયાના સોદા થાય છે અને જેને દેશના અર્થતંત્રની ધરી કહેવામાં આવે છે તેવું બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (...
Business 
ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું

બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..

બિહાર પછી હવે મધ્યપ્રદેશમાં પણ નગર પાલિકા અને પંચાયતની મતદાર યાદીમાં છેતરપિંડીની શક્યતાને કારણે રાજકીય ગરમી વધી ગઈ છે. રાજ્ય...
National 
બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..

ચૈતર વસાવાને હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવીની મુશ્કેલી વધી શકે છે. 5 જુલાઇએ નર્મદા જિલ્લામાં સંકલન બેઠક મળી હતી જેમાં...
Gujarat 
ચૈતર વસાવાને હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મોડી રાત્રે કારમાં 2 અલગ-અલગ રાજનીતિક પાર્ટીઓના નેતાઓ દ્વારા દારૂની પાર્ટી કરવાની વાત સામે આવતા વિવાદ છેડાઈ...
National  Politics 
‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.