રાવણનો અહંકાર, બાબર અને ઔરંગઝેબના અત્યાચાર પણ સનાતન મટાડી શક્યા નહોતાઃ CM યોગી

દેશમાં સનાતનને લઈને બહેસ થોભવાનું નામ લઈ રહી નથી. એવામાં હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મ પર આંગળી ઉછાળનારા લોકો પર પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે દેશ સકારાત્મક રૂપે આગળ વધી રહ્યો છે, તો કેટલાક લોકોને સારું લાગી રહ્યું નથી. સરકારની ઉપલબ્ધિઓને નબળી કરવા માટે સનાતન પર આંગળી ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વિરોધ કરનારા ભૂલી ગયા કે રાવણના અહંકાર, બાબર અને ઔરંગઝેબના અત્યાચાર પણ સનાતન મટાડી શક્યા નહોતા. એવામાં આ તુચ્છ લોકો ક્યાંથી સનાતનને મટાડી શકશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, સત્ય એક છે, પરંતુ લોકો પોતાની મૂર્ખતાથી સૂર્ય પર થૂંકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને એ પણ ખબર નથી કે, થૂંક તેમના પર જ પડશે. રાવણ અને હિરણ્યકશ્યપ અને કન્સે ઇશ્વરીય સત્તાને પડકાર આપી દીધી હતી, પરંતુ તેમનું બધુ મટી ગયું. કંઇ ન બચ્યું. પરંતુ ઈશ્વર બચ્યો અને આજે પણ છે. સનાતન ધર્મ સત્ય છે, ક્યારેય નહીં મટી શકે. ઉત્તર પ્રદેશ સારા રાજ્યોમાં છે. આ ઈશ્વરની કૃપા છે. સનાતન જ્યારે ઊભો થયો ત્યારે અયોધ્યામાં રામ મંદિર અને કાશીમાં વધ્યો અને વધતો રહેશે.

તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના એક નિવેદનથી સનાતન પર બહેશ શરૂ થઈ હતી. ઉદયનિધિએ સનાતન ધર્મ ઉન્મૂલ સંમેલનમાં કહ્યું હતું કે, સનાતનનો માત્ર વિરોધ જ ન કરવો જોઈએ, પરંતુ તેને સમાપ્ત જ કરી દેવો જોઈએ. સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. કેટલીક વસ્તુઓનો વિરોધ ન કરી શકાય, તેને સમાપ્ત ક કરી દેવી પડે છે. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મલેરિયા કે કોરોનાનો વિરોધ નહીં કરી શકીએ. આપણે તેને મટાડવાનો છે. આ પ્રકારે આપણે સનાતનને પણ મટાડવાનો છે.

સનાતન પર વિવાદ વધવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના પર સખ્તાઈથી જવાબ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAના મંત્રીઓને કહ્યું હતું કે સનાતન ધર્મ પર ઉદયનિધિનું નિવેદનનો સારી રીતે (તથ્યો સાથે) જવાબ આપવામાં આવે. સનાતન ધર્મ પર ટિપ્પણી બાદ ઉદયનિધિએ જવાબ આપ્યો. તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ઉદયનિધિના નિવેદનનું સમર્થન કરતા કહ્યું હતું કે, ભાજપ સમર્થક તાકતો, દમનકારી સિદ્ધાંતો વિરુદ્ધ વિચાર સહન કરી શકતી નથી. તેમણે ખોટી કહાની ફેલાવી કે ઉદયનિધિના સનાતન વિચારોવાળા લોકોના નરસંહારનું આહ્વાન કર્યું.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.