રાવણનો અહંકાર, બાબર અને ઔરંગઝેબના અત્યાચાર પણ સનાતન મટાડી શક્યા નહોતાઃ CM યોગી

દેશમાં સનાતનને લઈને બહેસ થોભવાનું નામ લઈ રહી નથી. એવામાં હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મ પર આંગળી ઉછાળનારા લોકો પર પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે દેશ સકારાત્મક રૂપે આગળ વધી રહ્યો છે, તો કેટલાક લોકોને સારું લાગી રહ્યું નથી. સરકારની ઉપલબ્ધિઓને નબળી કરવા માટે સનાતન પર આંગળી ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વિરોધ કરનારા ભૂલી ગયા કે રાવણના અહંકાર, બાબર અને ઔરંગઝેબના અત્યાચાર પણ સનાતન મટાડી શક્યા નહોતા. એવામાં આ તુચ્છ લોકો ક્યાંથી સનાતનને મટાડી શકશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, સત્ય એક છે, પરંતુ લોકો પોતાની મૂર્ખતાથી સૂર્ય પર થૂંકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને એ પણ ખબર નથી કે, થૂંક તેમના પર જ પડશે. રાવણ અને હિરણ્યકશ્યપ અને કન્સે ઇશ્વરીય સત્તાને પડકાર આપી દીધી હતી, પરંતુ તેમનું બધુ મટી ગયું. કંઇ ન બચ્યું. પરંતુ ઈશ્વર બચ્યો અને આજે પણ છે. સનાતન ધર્મ સત્ય છે, ક્યારેય નહીં મટી શકે. ઉત્તર પ્રદેશ સારા રાજ્યોમાં છે. આ ઈશ્વરની કૃપા છે. સનાતન જ્યારે ઊભો થયો ત્યારે અયોધ્યામાં રામ મંદિર અને કાશીમાં વધ્યો અને વધતો રહેશે.

તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના એક નિવેદનથી સનાતન પર બહેશ શરૂ થઈ હતી. ઉદયનિધિએ સનાતન ધર્મ ઉન્મૂલ સંમેલનમાં કહ્યું હતું કે, સનાતનનો માત્ર વિરોધ જ ન કરવો જોઈએ, પરંતુ તેને સમાપ્ત જ કરી દેવો જોઈએ. સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. કેટલીક વસ્તુઓનો વિરોધ ન કરી શકાય, તેને સમાપ્ત ક કરી દેવી પડે છે. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મલેરિયા કે કોરોનાનો વિરોધ નહીં કરી શકીએ. આપણે તેને મટાડવાનો છે. આ પ્રકારે આપણે સનાતનને પણ મટાડવાનો છે.

સનાતન પર વિવાદ વધવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના પર સખ્તાઈથી જવાબ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAના મંત્રીઓને કહ્યું હતું કે સનાતન ધર્મ પર ઉદયનિધિનું નિવેદનનો સારી રીતે (તથ્યો સાથે) જવાબ આપવામાં આવે. સનાતન ધર્મ પર ટિપ્પણી બાદ ઉદયનિધિએ જવાબ આપ્યો. તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ઉદયનિધિના નિવેદનનું સમર્થન કરતા કહ્યું હતું કે, ભાજપ સમર્થક તાકતો, દમનકારી સિદ્ધાંતો વિરુદ્ધ વિચાર સહન કરી શકતી નથી. તેમણે ખોટી કહાની ફેલાવી કે ઉદયનિધિના સનાતન વિચારોવાળા લોકોના નરસંહારનું આહ્વાન કર્યું.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.