75 વર્ષમાં એવા PM આવ્યા છે જે સુપ્રીમ કોર્ટના આદેશને પણ માનતા નથી: CM કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાન પર મહારેલીને સંબોધિત કરી હતી. કેન્દ્રના વટહુકમ સામે બોલાવવામાં આ રેલીમાં કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે ઘણા વર્ષો પછી આપણે રામલીલા મેદાન પર ભેગા થયા છે. 12 વર્ષ પહેલાં અમે ભ્રષ્ટાચાર સામેની લડતમાં આ મેદાન પર ભેગા થયા હતા અને આજે દેશના એક અહંકારી તાનાશાહને હટાવવા માટે ભેગા થયા છે.

રામલીલા મેદાન પર હુંકાર કરતા કેજરીવાલે કહ્યું હતું કે, તેમણે મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનને જેલમાં નાખી  દીધા છે. મારે તેમને કહેવું છે કે, અમારી પાસે 1 મનીષ સિસોદીયા નથી, અમારી પાસે 100 મનીષ સિસોદીયા છે, અમારી પાસે એક સત્યેન્દ્ર જૈન નથી, અમારી પાસે 100 સત્યેન્દ્ર જૈન છે. તમે એક ને જેલમાં નાંખશો તો બીજા કામ કરવા આવી જશે, પરંતુ દિલ્હીના વિકાસનું કામ અટકશે નહી.

કેજરીવાલે કહ્યું કે, 11 મેના દિવસે દેશની સુપ્રીમ કોર્ટે દિલ્હીની તરફેણમાં ચુકાદો આપ્યો હતકો અને 19મે ના દિવસે મોદી સરકારે વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટને આદેશને રદ કરી દીધો. 75 વર્ષમાં એવા PM આવ્યા છે જે કહે છે કે હું સુપ્રીમ કોર્ટના આદેશને માનતો નથી.

કેજરીવાલે કહ્યું કે, દેશની અંદર પ્રજાતંત્ર ખતમ થઇ રહ્યું છે, એને જ તો તાનાશાહી અને હીટલરશાહી કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ હતું કે જનતા સુપ્રીમ છે.PM મોદીનો વટહુકમ કહે છે દિલ્હીની જનતા સુપ્રીમ નથી LG સુપ્રીમ છે.

કેજરીવાલે કહ્યું કે, ભાજપ વાળા મને રોજ ગાળો આપે છે, મારા અપમાનની મને કોઇ ચિંતા નથી, પરંતુ આ વખતે ભાજપે તમારા લોકોનું અપમાન કર્યું છે અને પ્રજાનું અપમાન હું સહન કરી શકું નહીં. આ વટહુકમને અમે રદ કરાવીને સુપ્રીમ કોર્ટનો આદેશ લાગૂ કરાવીશું.

દિલ્હીના મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે હું આખા દેશમાં ફરી રહ્યો છુ અને દેશના 140 કરોડ લોકો AAPની સાથે છે. હું આખા દેશને કહેવા માંગું છુ કે જે રીતે દિલ્હીમાં વટહુકમ લાગૂ કરવામાં આવ્યો તે રીતે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં લાવવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કુલ 21 વર્ષ રાજ કર્યું છે. મને રાજ કરતા હજુ 8 વર્ષ જ થયા છે. કેજરીવાલે પડકાર ફેંકતા કહ્યું કે, PM મોદીના 21 વર્ષ અને મારા 8 વર્ષની કામગીરીની સરખામણી કરી જોજો, કોણે વધારે કામ કર્યું છે

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.