રાહુલ ગાંધી ચૂંટણી કમિશનરની પાછળ પડી ગયા, હવે મોટો નિર્ણય લઈ લીધો છે

છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ અને તમામ વિપક્ષી પક્ષો દ્વારા ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તેને લઈને રાહુલ ગાંધી દ્વારા એક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું, ત્યરબાદ ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના આરોપો બાદ રવિવારે ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમાં, ચૂંટણી પંચે પોતાનો પક્ષ રજૂ કર્યો અને વિરોધી પરતીઓને ચીમકી આપી હતી કે, તેના ખભા પર બંદૂક રાખીને રાજનીતિ ન કરે. હવે વિપક્ષ પણ ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનું વિચારી રહ્યું છે. હવે આ મામલે વિપક્ષી રાજનીતિક પાર્ટીઓએ નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ INDIA બ્લોકની બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ લોનની વાત કહી છે. આ અંગે બેઠકમાં એક પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો છે. જોકે, આ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

શું છે મહાભિયોગનું કારણ?

INDIA ગઠબંધનની બેઠક દરમિયાન તમામ રાજનીતિક પાર્ટીઓ મુખ્ય ચૂંટણી કમિશનરથી નાખુશ જોવા મળી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ ગઈકાલે ચૂંટણી કમિશનરની પ્રેસ કોન્ફરન્સ હોવાનું માનવામાં આવે છે. કારણ કે આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી કમિશનરે કોંગ્રેસ સહિત તમામ રાજનીતિક પાર્ટીઓને સીધી ચીમકી આપી હતી કે તેમણે ગરબડીઓને લઈને પુરાવા આપવા પડશે અને 1 અઠવાડિયાની અંદર સોગંદનામું પણ દાખલ કરવું પડશે.

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ પર કહ્યું કે, ‘મુખ્ય ચૂંટણી કમિશનર (જ્ઞાનેશ કુમાર)એ ભાજપને આ જ આગ્રહ કેમ ન કર્યો? તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર ભાજપ સાથે કોંગ્રેસ જેવો વ્યવહાર કેમ નથી કરી રહ્યા? મને લાગે છે કે પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા આ બંધારણીય પદની ગરિમા નબળી કરી છે.

gyanesh kumar
thehindu.com

મહાભિયોગ પ્રસ્તાવને લઈને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૈયદ નસીર હુસૈને કહ્યું કે, ‘જો જરૂરિયાત પડી તો, અમે નિયમો હેઠળ લોકશાહીના તમામ હથિયારોનો ઉપયોગ કરીશું. અત્યાર સુધી અમે (મહાભિયોગ વિશે) કોઈ ચર્ચા કરી નથી, પરંતુ જો જરૂર પડે તો, અમે કંઈ પણ કરી શકીએ છીએ.

ચૂંટણી કમિશનરે શું કહ્યું હતું?

મુખ્ય ચૂંટણી કમિશનરે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ‘તેમ ના પર લગાવવામાં આવી રહેલા વોટ ચોરીના ખોટા આરોપોથી ન તો ચૂંટણી પંચ ડરે છે અને ન તો મતદારો ડરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચૂંટણી પંચ પોતે રાજનીતિક પાર્ટીઓનું રજીસ્ટ્રેશન પણ ચૂંટણી પંચ જ કરે છે અને તેની નજરમાં કોઈ પક્ષ કે વિપક્ષ નથી, બધા સમકક્ષ છે. અમારા માટે બધા બરાબર છે. જો તમને લાગે કે કોઈ ગરબડી છે, તો પુરાવા આપો. અમે તેમાં પણ સુધારો કરીશું. માત્ર વાતો કરવાથી કંઈ નહીં થાય.

INDIA Bloc
indiatoday.in

આ પ્રેસ કોન્ફરન્સ અગાઉ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે બિહાર SIR હેઠળ જેમના નામ કાઢી નાખવામાં આવ્યા હતા, તેવા 65 લાખ લોકોના નામ જાહેર કરવામાં આવે. બિહારમાં SIRની શરૂઆતથી જ કોંગ્રેસ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવી રહી છે. રાહુલ ગાંધીએ ઘણી વખત કહ્યું છે કે ચૂંટણી પંચ ભાજપ માટે કામ કરી રહ્યું છે. દરેક ચૂંટણીમાં, ચૂંટણી પંચ નવા મતદારો દ્વારા ચૂંટણીમાં હેરાફેરી કરે છે. આ સાથે વોટોની ચોરી પણ કરે છે. આ અંગે રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

About The Author

Top News

સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર તેના કેટલાક ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો...
Business 
સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.