BJP અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થતા જાણો ભાજપે શું નિર્ણય લીધો

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.. નડ્ડાને જૂન 2024 સુધી સર્વિસ એક્સટેન્શન મળ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરી હતી. શાહે કહ્યું કે તમામ પદાધિકારીઓ સર્વસંમતિથી નડ્ડાની સેવાના વિસ્તરણ પર સંમત થયા છે. જે.પી નડ્ડાનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ 20 જાન્યુઆરી 2023ના દિવસે પુરો થતો હતો. હવે બધી અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

2024 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભાજપની હાર પછી એવી ચર્ચા ચાલતી હતી કે નડ્ડાને હટાવીને સી આર પાટીલ, ધર્મેન્દ્ર સિંહ અથવા ભુપેન્દ્ર યાદવને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી મળી શકે છે. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના કાર્યકાળને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નડ્ડાને જૂન 2024 સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલું રાખવામાં આવ્યા છે.

જેપી નડ્ડાના વખાણ કરતા અમિત શાહે કહ્યું હતું કે, નડ્ડાના નેતૃત્વમાં અમે નોર્થ ઈસ્ટની ચૂંટણીમાં સફળ થયા. ગોવામાં અમે હેટ્રિક લગાવી. ગુજરાતમાં 53 ટકા મત હાંસલ કર્યા. મોદીજીની લોકપ્રિયતાને મતમાં બદલવામાં જેપી નડ્ડાની ભૂમિકા રહી છે. સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં નડ્ડાનું યોગદાન રહ્યું છે. તેમના નેતૃત્વમાં BJPએ 120 ચૂંટણી લડી અને 73 ચૂંટણીમાં સફળતા હાંસલ કરી છે. પાર્ટી અધ્યક્ષનો કાર્યકાળ વધારવાનું એક મોટું કારણ એ પણ છે કે આ વર્ષના અંતમાં 9 વિધાનસભા ચૂંટણી થવાની છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, રાજનાથ સિંહે જે.પી.નડ્ડા માટે દરખાસ્ત રજૂ કરી હતી જેનો ભાજપના બધા સભ્યોએ સ્વીકાર કર્યો હતો. એટલે સર્વાનુમતે નિર્ણય લેવામા આવ્યો છે કે જે.પી. નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી વધારી દેવામાં આવે.

જેપી નડ્ડાને જૂન 2019માં કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ પછી, 30 જાન્યુઆરી 2020 ના રોજ, તેમને પૂર્ણકાલીન પ્રમુખ બનાવવામાં આવ્યા. નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો હતો, જે હવે જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. જૂન પહેલા જ લોકસભાની ચૂંટણી યોજાવાની છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું,  નડ્ડાના નેતૃત્વમાં સેવા જ સંગઠન છે.આ હેતુથી સંગઠનને એકત્ર કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના સમયમાં સંગઠનના લોકોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આવા કપરા સમયમાં નડ્ડા બધાને સાથે રાખીને ચાલ્યા હતા. તેમના નેતૃતચ્વમાં બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ, બંગાળમાં 3 સીટથી 77 સીટ સુધી પહોંચી શક્યા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.