INDIAને વધુ એક મોટો ઝટકો, BJP સાથે જઇ શકે છે આ પાર્ટી 4 સીટની ઓફરની ચર્ચા

લોકસભા સીટોની ઓફર આપી છે. ત્યારબાદ ચર્ચાઓ તેજ છે કે RLD અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન તૂટી શકે છે. ભાજપે 4 સીટો RLDને ઓફર કરી છે, તેમાં કેરાના, બાગપત, મથુરા અને અમરોહા સામેલ છે. તો સમાજવાદી પાર્ટી ઇચ્છતી હતી કે તેના ઉમેદવાર મુઝફ્ફરનગર, કેરાના, અને બિજનૌર સીટો પર RLDના ચિહ્ન પર ચૂંટણી લડે.

તેના કારણે RLD અને સપા ગઠબંધનમાં તૂટનું કારણ બનતું નજરે પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઘણા સમય અગાઉ જ જયંત ચૌધરી અને અખિલેશ યાદવની લખનૌમાં થયેલી મુલાકાત બાદ 7 સીટો પર ડીલ થઈ ગઈ હતી. આ 7 સીટોમાં બાગપત, મુઝફ્ફરનગર, કેરાના, મથુરા અને હાથરસ તો નક્કી છે, પરંતુ 2 સીટો પર અત્યારે પણ નામને લઈને સંશય બનેલું હતું. અત્યારે એ નક્કી થઈ શક્યું નહોતું કે મેરઠ, બિજનૌર, અમરોહા, નગીના અને ફતેહપુર સીકરીમાં કઇ અન્ય 2 સીટ RLDને આપવામાં આવશે.

તો મુઝફ્ફરનગરમાં ઉમેદવારને લઈને સપા અને RLDમાં ખેચતાણ બતાવવામાં આવી હતી. સપા ઇચ્છતી હતી કે હરેન્દ્ર મલિકને ત્યાંથી RLDના ચિહ્ન પર ચૂંટણી લડાવવામાં આવે. RLDના ઘણા સ્થાનિક નેતા તેના વિરોધમાં છે અને નથી ઇચ્છતા કે હરેન્દ્ર મલિકને મુઝફ્ફરનગરની સીટ આપવામાં આવે. કારણ હરેન્દ્ર મલિક જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારથી ચૌધરી પરિવાર સાથે જૂની અદાવત રહી છે અને મુઝફ્ફરનગર સીટ ચૌધરી પરિવારની કોર સીટ માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં RLD અને સપાનું ગઠબંધન 2018ની લોકસભાની પેટાચૂંટણીથી છે.

કેરાના લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં સપાએ પોતાના નેતા તબસ્સુમ હસનને RLDના ચિહ્ન પર ચૂંટણી લડાવ્યા હતા. એ ચૂંટણીમાં તબસ્સુમ હસનની શાનદાર જીત થઈ હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં બંને પાર્ટીઓએ ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. ત્યારે સપાએ RLDને 3 સીટો આપી હતી. જો કે, કોઈ પણ સીટ પર RLD જીતી શકી નહોતી. એ જ ચૂંટણીમાં સપા 5 સીટો જીતી હતી. જ્યારે બસપાએ 10 સીટો પર જીત હાંસલ કરી હતી. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પણ સપા અને RLDએ મળીને લડી હતી. એ ચૂંટણીમાં સપાએ RLDને 33 સીટો આપી હતી, તેમાંથી RLDએ 9 સીટો પર જીત હાંસલ કરી હતી.

About The Author

Related Posts

Top News

હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક...
Gujarat 
હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી

અમદાવાદના મહત્ત્વપૂર્ણ પુલોથીનો એક સુભાષ બ્રિજના જૂના ભાગને તોડીને નવો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઇ છે. બ્રિજના કેટલાક સ્પાન તોડી...
Gujarat 
સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી

'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચ માટે ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો...
Sports 
'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

હાલમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આજે યુદ્ધને 13 દિવસ થઈ ગયા. 3 દેશોના યુદ્ધ વચ્ચે દુનિયાભરમા...
Gujarat 
આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.