અમે આવી રહ્યા છીએ, કેનેડામાં બેઠા ખાલિસ્તાનીઓની PM મોદી અને શાહને ધમકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં સામેલ થવા આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો સામે ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર ટ્રૂડોએ પણ ભરોસો આપ્યો હતો કે તેઓ પોતાના દેશમાં અલગાવવાદી તત્વો પર લગામ કસશે. જો કે, કેનેડામાં એક્ટિવ ખાલિસ્તાનીઓની હરકત અત્યારે પણ ઓછી થઈ નથી. 10 સપ્ટેમ્બરના રોજ જ ખાલિસ્તાનના વેનકુંવરના સરે સ્થિત એક ગુરુદ્વારમાં ભારત વિરુદ્ધ જનમત સંગ્રહ થયો હતો. ત્યારબાદ હવે ખાલિસ્તાની સંગઠન સિખ્સ ફોર જસ્ટિસના સરગના ગુરૂપતવંત સિંહ પન્નૂનો એક વીડિયો સામે આવ્યો છે.

તેમાં તેણે ભારતને કેનેડામાં પોતાનું દૂતાવાસ બંધ કરવાની ધમકી આપી છે. એ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને જીવથી મારવા સુધીની ધમકી આપી નાખી. ખાલિસ્તાનીનું આ દૂસ્સાહસ દેખાડે છે કે તેના પર ભારતની કેનેડા સાથે સખ્તાઈની કોઈ અસર નથી. પન્નૂને એક વીડિયોમાં કહેતો સાંભળી શકાય છે કે, આ મેસેજ એ લોકો માટે છે જેમણે હરદીપ સિંહ નિજ્જરને મરાવી નાખ્યો, મોદી, જયશંકર, ડોભાલ અને શાહ, અમે તમારા માટે આવી રહ્યા છીએ.

હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની ઉગ્રવાદી હતો, જે આ વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં જ શૂટિંગ દરમિયાન માર્યો ગયો હતો. તેના મોતને લઈને ખાલિસ્તાની આરોપ લગાવે છે કે, તે ભારત સરકારના ઇશારા પર થયું હતું. કેનેડાના ગુરુદ્વારામાં જનમત સંગ્રહના નામ પર થયેલા 5-7 હજાર લોકો ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત અંદાજમાં ખાલિસ્તાની તત્વોને લઈને આપત્તિ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, બંને દેશોના સહજ અને સારા સંબંધો માટે એ જરૂરી છે કે આ લોકો પર લગામ કસવામાં આવે.

વિદેશ મંત્રાલયે વાતચીતને લઈને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ કેનેડામાં ભારત વિરોધી તત્વોની ગતિવિધિઓ પર આપત્તિ દર્શાવી. તેઓ ભારતીય રાજદૂતોને ધમકી આપે છે અને ભારત વિરોધી હરકતો કરે છે. એ સિવાય ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મોટા ભાગે ધમકી આપે છે. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યવાહી કરવા કહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મીટિંગમાં જસ્ટિન ટ્રૂડોએ કહ્યું હતું કે તેમનો દેશ હંમેશાં શાંતિપૂર્ણ આંદોલનના હકને બનાવી રાખશે, પરંતુ તેની સાથે જ એ પણ નક્કી કરવામાં આવશે કે તેના બહાને નફરત ન ફેલાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ કેનેડા અને ભારત વચ્ચે ખાલિસ્તાની તત્વોના કારણે સંબંધો ખરાબ થવાની નોબત આવી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.