શબનમ થઈ મીરા: નિકાહના 5 વર્ષ બાદ છૂટાછેડા, કૃષ્ણ ભક્ત મુસ્લિમ મહિલાએ...

ભગવાન શ્રિકૃષ્ણનું જન્મસ્થળ અને લીલા સ્થળી વૃંદાવન સંપૂર્ણ દેશ-દુનિયામાં અધ્યાત્મ ભક્તિ અને પ્રેમના રૂપમાં પોતાનું પ્રમુખ સ્થળ રાખે છે. એટલે આ નગરીમાં શ્રીકૃષ્ણના એનક ભક્ત મળશે. આ ભક્તોમાં અલગ અલગ ધર્મના પણ હશે. તેમાંથી જ એક મુસ્લિમ ભક્ત પોતાનું ઘર બાર છોડીને કન્હૈયાના પ્રેમમાં આવી ગઈ છે વૃંદાવન. છોડી દીધું છે ઘર-બાર. શબનમ ઉત્તર પ્રદેશના જ મુરાદાબાદ સ્થિત જિગર કોલોનીના રહેવાસી ઇકરામ હુસેન વાસણ અને પિત્તળની મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે.

તેની દીકરી શરૂઆતથી જ હિન્દુ દેવી-દેવતાઓ પ્રત્યે ખૂબ લગાવ છે. તેના કારણે કન્હૈયાનો પ્રેમ તેને બ્રજભૂમિ ખેચી લાગ્યો. 4 મહિના અગાઉ હાથમાં લડ્ડુ ગોપાલ લઈને તે વૃંદાવન ધામ જતી રહી. અહી ગોવર્ધન પરિક્રમા માર્ગ સ્થિત ગોપાલ આશ્રમમાં તેને આશ્રય મળી ગયો અને હવે શબનમ ભગવાનની ભક્તિમાં જ પોતાનું જીવન લગાવવા માગે છે. વર્ષ 2000માં શબનમના દિલ્હીના શાહદરાના રહેવાસી એક વ્યક્તિ સાથે નિકાહ કરાવી દીધા હતા, પરંતુ 5 વર્ષ બાદ જ વર્ષ 2005માં શબનમના છૂટાછેડા થઈ ગયા.

ત્યારબાદ તે પોતાના પિતા ઇકરમના ઘરે પાછી આવી ગઈ. શબનમ પોતાના પરિવારમાં ચાર ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરની છે. શબનમે પતિ સાથે છૂટાછેડા લીધા બાદ પોતાના પરિવારને છોડી દીધો અને દિલ્હીમાં રહેવા લાગી. પછી તેણે થોડા દિવસ એક ખાનગી કંપનીમાં કામ કર્યું. ત્યારબાદ શબનમે લેડી બાઉન્સરના રૂપમાં પણ થોડા મહિના કામ કર્યું હતું? ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત શબનમનું કહેવું છે કે તેને પોતાના પરિવારથી સંબંધ તોડી દીધા છે. હવે તેની પોતાના માતા-પિતા કે ભાઈ-બહેન સાથે કોઈ વાત થતી નથી.

શબનમે પોતાનું નામ મીરા રાખી લીધું છે. તે પોતાના દસ્તાવેજોમાં પણ પોતાનું નામ મીરા કરવા માગે છે. જો કે, અત્યાર સુધી એવું થઈ શક્યું નથી. તેનું માનવું છે કે એક ને એક દિવસ એ થઈ જશે. તે પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિમાં વિતાવવા માગે છે. તે દરેક સમયે પોતાના લડ્ડુ ગોપાલને સાથે રાખે છે, તેને નિયમિત ભોગ લગાવે છે. શબનમ કહે છે કે તે તો આપણો લાલો છે, હવે બસ નાનકડી નોકરી શોધી રહી છું, જેનથી મારું અને લાલાનું જીવન પસાર થઈ જાય.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.