સર્જિકલ સ્ટ્રાઇક પર બોલ્યા આર્મી ઓફિસર- સેના ઓપરેશનના કોઇ પુરાવા રાખતી નથી

ભારત અને ચીન વચ્ચે ચાલ રહેલો સીમા વિવાદ હાલમાં શાંત છે. જો કે, ભારતીય સેના સીમા પર સૂક્ષ્મ નજર રાખી રહી છે. હાલમાં જ DGP કોન્ફરન્સ દરમિયાન એક રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં એક તરફ ચીનની કરતૂતોને લઇને જાણકારી આપવામાં આવી છે, તો બીજી તરફ એ જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સીમા વિવાદ ઘણો વધી ગયો છે. દરેક 2-3 વર્ષો બાદ એવી સ્થિતિ બની જાય છે, જ્યારે જમીન પર તણાવ રહે છે.

આ બધા વચ્ચે પૂર્વી કમાનના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ આર.પી. કલીતાએ કહ્યું કે, સેના દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, કોલકાતામાં એક કાર્યક્રમમાં લેફ્ટિનેન્ટ જનરલે કહ્યું કે, યુદ્ધ અને શાંતિ બંને અવસરો પર ભારતીય સેના પૂરી રીતે તૈયાર છે. પૂર્વોત્તરમાં રોડની જાળ બિછાવી રહી છે. બધી રાજધાનીઓ હવાઇ સેવાઓથી જોડાઇ ગઇ છે. દરેક તરફ વિકાસ થઇ રહ્યો છે અને તેનો લાભ ભારતીય સેનાને થશે.

અરુણાચલ પ્રદેશમાં પણ LACમાં સ્થિતિ એકદમ સામાન્ય છે, પરંતુ અભૂતપૂર્વ છે. એટલે ભારતીય સેના કોઇ પણ પરિસ્થિતિને પહોંચીવળવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, આખી સમસ્યા તથ્યથી ઉત્પન્ન થાય છે કે ભારત અને ચીન વચ્ચે સીમા અપરિભાષિત છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) બાબતે અલગ-અલગ ધારણાઓ છે, જે સમસ્યાનું કારણ બને છે. અત્યાર સુધી સીમાના પૂર્વી હિસ્સામાં સ્થિતિ સ્થિર છે, પરંતુ સીમા બાબતે અલગ-અલગ ધારણાંઓનું કારણ સ્થિતિ અનઅપેક્ષિત પણ છે.

લેફ્ટિનેન્ટ જનરલ આર.પી. કાલીતાએ કહ્યું કે, પૂર્વી સીમાઓ પર ક્ષેત્રીય અખંડતાઓ બનાવી રાખવાની જવાબદારી છે અને આ ટાસ્કને આપણી યુનિટ અને બળો દ્વારા અત્યંત વ્યવસાયિકતા અને સમર્પણ સાથે નિભાવવામાં આવી છે. અમે આગામી પડકારો માટે સતત જાગૃત છીએ. વર્ષ 2016માં પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગવાના સવાલ પર પૂર્વી કમાનના JOC–ઇન-સી લેફ્ટિનેન્ટ આર.પી. કલીતાએ કહ્યું કે, સેના કોઇ પણ ઓપરેશનને અંજામ આપતી વખત કોઇ પુરાવા રાખતી નથી.

જો કે, આ સવાલ પર જવાબ આપવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે, આ એક રાજનૈતિક સવાલ છે. એટલે હું તેના પર ટિપ્પણી કરવા માગતો નથી. મને લાગે છે કે, દેશ ભારતીય સશસ્ત્ર બળો પર ભરોસો કરે છે. શું ઓપરેશન દરમિયાન સેના કોઇ પુરાવા રાખે છે? આ સવાલનો જવાબ તેમણે ‘ના’માં આપ્યો. તેમણે કહ્યું કે, જ્યારે અમે ઓપરેશન કરવા જઇ રહ્યા હોઇએ છીએ તો અમે એ ઓપરેશનના કોઇ પુરાવા રાખતા નથી.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.