મણિપુર હિંસા: 2 મહિના પછી CMને લાગે છે કે આની પાછળ વિદેશી હાથ, રાઉતે કહે- ચીન...

મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે કહ્યું કે 3 મેથી રાજ્યમાં ફેલાયેલી હિંસાની પાછળ વિદેશી હાથ હોય શકે છે. સમાચાર એજન્સી ANIના એક રિપોર્ટ મુજબ, મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે વંશીય અથડામણોમાં બહારના તત્વોનો હાથ હોય શકે છે અને તે 'પૂર્વ આયોજિત' હોવાનું જણાય છે. હવે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ચીનનું નામ લઇને કહ્યુ કે, મણિપુરની હિંસમાં ચીનનો હાથ છે. રાઉતે કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવ્યો હતો કે તમે ચીન સામે શું કાર્યવાહી કરી? સંજય રાઉતે કહ્યું હતુ કે મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઇએ અને અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઇએ.

મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યુ કે, મણિપુરની સરહદ મ્યાનમારની સાથે લાગે છે. ચીન પણ નજીક જ છે.CMએ કહ્યુ કે, અમારી 398 કિ.મીટરની સરહદ અસૂરક્ષિત છે. અમારી સરહદો પર સુરક્ષા દળો તૈનાત છે, પરંતુ એક મજબૂત અને વ્યાપક સુરક્ષા તૈનાત પણ આટલી વિશાળ સરહદને કવર ન કરી શકે.શકતી .જો કે, મણિપુરમાં જે કઇં થઇ રહ્યું છે તે જોતાં, નતો અમે તેને  નકારી શકીએ છીએ કે ન તો તેની પૃષ્ટિ કરી શકીએ છીએ. આ એક તે પૂર્વયોજિત કાવતરું લાગે છે પરંતુ કારણ સ્પષ્ટ નથી.

મુખ્યમંત્રી બીરેન સિંહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર રાજ્યમાં શાંતિ  સ્થાપિત કરવા માટે બધા પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યુ કે મેં અમારા કુકી ભાઇઓ અને બહેનો સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું તું કે આવો માફ કરો અને ભૂલી જાઓ.મુખ્યમંત્રી બીરેન સિંહે રાહુલ ગાંધીની મણિપુર યાત્રા વખતે સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, રાજ્યમાં તેમની મુલાકાત એ રાજકીય એજન્ડા જેવી લાગે છે.

CM બીરેન સિંહે કહ્યુ કે અમે કોઇને રાજ્યમાં આવતા તો ન રોકી શકીએ, પરંતુ 2 મહિના થઇ ગયા, આ પહેલાં તેઓ કેમ ન આવ્યા?  રાહુલ ગાંધી એક કોંગ્રેસ નેતા છે, પરંતુ તેમણે કઇ હેસિયતથી મણિપુરની મુલાકાત લીધી? મને નથી લાગતું કે  એ યોગ્ય સમય હતો.મને એમ લાગ્યું છે કે તેઓ રાજકીય એજન્ડા માટે મણિપુરની મુલાકાતે આવ્યા હતા.

મણિપુરમાં મૈતેઇ અને કુકી સમુદાય વચ્ચે ચાલી રહેલા વંશીય સંઘર્ષમાં અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.