મણિપુર હિંસા પર સોનિયા ગાંધી વીડિયો સંદેશ આપતા બોલ્યા- એક માતાના રૂપમાં પોતાના..

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મણિપુરમાં હિંસા પર દુઃખ વ્યક્ત કરતા બુધવારે કહ્યું હતું કે, તેણે રાષ્ટ્રની અંતરાત્મા પર ઊંડો આઘાત કર્યો છે. તેમણે રાજ્યના લોકોને શાંતિ અને સૌહાર્દની અપીલ કરી અને આશા વ્યક્ત કરી કે મણિપુરના લોકો આ દુર્ઘટનાથી બહાર આવશે. કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીએ વીડિયો સંદેશમાં કહ્યું કે, મણિપુરના પ્રિય ભાઈઓ અને બહેનો, છેલ્લા લગભગ 50 દિવસોથી આપણે મણિપુરમાં એક મોટી માનવીય દુર્ઘટના જોઈ રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, આ હિંસાએ તમારા રાજ્યમાં હજારો લોકોનું જીવન ઉજાડી દીધું છે. આ ઘટનાએ રાષ્ટ્રની અંતરાત્મા પર એક ઊંડો આઘાત કર્યો છે. તેમનું કહેવું હતું કે, મારી એ બધા પ્રત્યે ઊંડી સંવેદના છે, જેમણે આ હિંસામાં પોતિકાઓને ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે, મને એ જોઈને ખૂબ દુઃખ થાય છે કે લોકો એ જગ્યાને છોડીને જવા માટે મજબૂર છે, જેને તેઓ પોતાનું ઘર કહે છે. પોતાના જીવનભરનું બનાવેલું બધુ પાછળ છોડીને જાય છે. શાંતિપૂર્વક એક-બીજા સાથે રહેનારા આપણાં ભાઈ-બહેનોને એક-બીજા વિરુદ્ધ થતા જોવું ખૂબ દુઃખદ છે.

સોનિયા ગાંધીના જણાવ્યા મુજબ, મણિપુરના ઇતિહાસમાં અલગ અલગ જાતિ, ધર્મ અને પૃષ્ઠભૂમિના લોકોને ગળે લગાવવાની શક્તિ અને ક્ષમતા છે. આ એક વિવિધ સમાજની સંભાવનાઓનું પ્રમાણ છે. ભાઇચારાની ભાવના જીવિત રાખવા માટે વિશ્વાસ અને સદ્વભાવનાની જરૂરિયાત હશે, તો નફરત અને વિભાજનની આગને ભડકાવવા માટે માત્ર એક ખોટા પગલાંની. તેમણે કહ્યું કે, એક માતાના રૂપમાં તેમના દર્દને સમજુ છું. હું તમને એ નિવેદન કરું છું કે, હું તમને બધાને નિવેદન કરું છું કે પોતાની અંતરાત્માનો અવાજ ઓળખો. મને આશા છે કે આગામી સમયમાં પરસ્પર વિશ્વાસને મજબૂતીથી પુનર્નિર્માણ કરીશું.

સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે, મણિપુરના લોકો પાસે ખૂબ આશા છે અને તેમના ઉપર ખૂબ વિશ્વાસ છે. હું જાણું છું કે આપણે બધા મળીને આ પરીક્ષાના સમયને પણ પાર કરી લઈશું. મણિપુરમાં મેઇતી અને કુકી સમાજ વચ્ચે એક મહિના અગાઉ ભડકેલી હિંસામાં 100 કરતા વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. રાજ્યમાં અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાના મેઇતી સમાજની માગના વિરોધમાં 3 મેના રોજ પર્વતીય જિલ્લામાં આદિવાસી એકજૂથતા માર્ચનું આયોજન બાદ હિંસક ઘર્ષણો શરૂ થઈ ગયા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.