સુકેશનો વધુ એક લેટર બોમ્બ-તિહાડમાં મનીષ સિસોદિયાને મળી રહી છે VVIP સર્વિસ

દિલ્હીની આબકારી નીતિમાં કૌભાંડને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તિહાડ જેલમાં બંદ છે. આ જેલમાં ઠગ સુકેશ ચંદ્રશેખર પણ બંધ છે. સુકેશ ચંદ્રશેખર તરફથી દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને વધુ એક ચિઠ્ઠી લખવામાં આવી છે. જેમાં તેણે મનીષ સિસોદિયાને જેલમાં VVIP ટ્રીટમેન્ટ આપવાના ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે જ ઉપરાજ્યપાલ પાસે માગ કરી છે કે, તેઓ આ આખા મામલાની તપાસ કરાવે. સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે.

તેણે કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાની અસુરક્ષાની ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. ઉપરાજ્યપાલને લખેલી ચિઠ્ઠીમાં ચંદ્રશેખરે દાવો કર્યો છે કે, મનીષ સિસોદિયાને તિહાડ જેલના વોર્ડ નંબર-9માં રાખવામાં આવ્યા છે, જે સૌથી VVIP વોર્ડ છે. આ વોર્ડ-9માં સુબ્રતો રાય સહારા, અમર સિંહ, એ. રાજા, સુરેશ કલમાડી, સંજય ચંદ્રા જેવા કેદીઓને રાખવામાં આવ્યા હતા. સુકેશ ચંદ્રશેખરે પોતાની ચિઠ્ઠીમાં આગળ કહ્યું કે, જેલ પ્રશાસન પૂરી રીતે આમ આદમી પાર્ટીના હાથની કઠપૂતળી બની ચૂક્યું છે.

સત્યેન્દ્ર જૈન જેલ કર્મચારીઓ પર નિયંત્રણ રાખે છે. મનીષ સિસોદિયાના ટ્વીટર હેન્ડલથી આજે કરવામાં આવેલી ટ્વીટમાં લખ્યું છે કે, સાહેબ જેલમાં નાખીને મને કષ્ટ પહોંચાડી શકે છે, પરંતુ મારા હોસલાને તોડી નહીં શકે, કસ્ટ અંગ્રેજોએ પણ સ્વતંત્ર સેનાનીઓને આપ્યા, પરંતુ તેમના હોસલા ન તૂટ્યા. આ અગાઉ તેમણે ટ્વીટ કરી હતી કે, ‘આજ સુધી સાંભળ્યું હતું કે દેશમાં શાળા ખૂલે છે, તો જેલ બંધ થાય છે, પરંતુ હવે આ લોકોએ તો દેશમાં શાળા ખોલનારાઓને જ જેલમાં બંધ કરવાની શરૂઆત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયાને CBI બાદ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રીમાંડમાં મોકલવામાં આવ્યા છે. તો CBIની ધરપકડ વિરુદ્ધ તેમની જામીન અરજીને સુનાવણી માટે 21 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે. બીજી તરફ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના રાઉજ એવેન્યૂ કોર્ટમાં 10 માર્ચની ઉપસ્થિતિ દરમિયાન સિસોદિયાની ધરપકડ પર મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું કે, સત્યની જીત થઈ છે, હવે આગામી વારો કેજરીવાલનો છે. આ કેસમાં કેજરીવાલ વજીર છે, એક-એકનો પર્દાફાસ કરીશ. આ કેસમાં હજુ વધારે ધરપકડ થશે.

અરવિંદ કેજરીવાલ પોતાના ટાસ્કને સારી રીતે નિભાવી રહ્યા છે. આબકારી નીતિ સાથે મારું કોઈ લેવું-દેવું નથી. સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર ગરીબ બાળકોના અભ્યાસમાં કૌભાંડ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેનાથી થોડા દિવસ અગાઉ ઉપરાજ્યપાલને લખેલી ચિઠ્ઠીમાં દાવો કર્યો હતો કે, પહેલા બાળકોને ટેબલેટ વહેચવાને લઈને જે ડ્રાફ્ટ તૈયાર થયો હતો, તેનું ટેન્ડર 20 ટકા વધારે આપવાની લાલચમાં બીજી કંપનીને આપી દેવામાં આવ્યું.

About The Author

Related Posts

Top News

સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ 37મી...
Gujarat 
સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હજીરા-સુરત, ડિસેમ્બર 17, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ને વીજ મંત્રાલય દ્વારા આયોજિત અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી...
Gujarat 
AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

હૈદરાબાદ (તેલંગાણા) [ભારત], 15 ડિસેમ્બર: સેવા વિતરણ અને ઝડપી પ્રતિભાવમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને, હૈદરાબાદ જિલ્લા કલેક્ટર હરિ...
National 
હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

ડો. રામસિંહ રાજપૂતના પુસ્તકનું વિમોચન રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરાયું

સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલસચિવ ડો. રામસિંહ રાજપૂત અખબારી યાદીમાં જણાવે છે કે તા. 14/12/2025ને રવિવારના રોજ પાટણ જિલ્લાના સમી...
Gujarat 
ડો. રામસિંહ રાજપૂતના પુસ્તકનું વિમોચન રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરાયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.