મનીષ સિસોદિયાના રાજીનામાં બાદ કોણ સંભાળશે વિભાગ? આ 2 નેતાઓના નામ પર ચર્ચા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના વિભાગ કૈલાશ ગહલોત અને રાજકુમાર આનંદને આપવામાં આવશે. જાણકારોના સંદર્ભે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં અત્યારે કોઈ નવા મંત્રી નહીં બને. મનીષ સિસોદિયા પાસે દિલ્હી સરકારના 18 વિભાગોની જવાબદારી હતી. મંગળવાર (28 ફેબ્રુઆરી)ના રોજ મોટા રાજકીય ઘટનાક્રમમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે બંને મંત્રીઓના રાજીનામાં સ્વીકારી પણ લીધા છે. મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ હતી. દિલ્હી સરકારમાં મનીષ સિસોદિયાનું એક મોટું કદ હતું. તેમની પાસે રોજગાર, PWD, સ્વાસ્થ્ય, નાણાં, યોજના, જમીન, વિજિલેન્સ, ટૂરિઝ્મ, આર્ટ કલ્ચર, લેબર, શિક્ષણ, ઇન્ડસ્ટ્રી, ઊર્જા, ગૃહ, શહેરી વિકાસ, ઇરિગેશન અને જળ વિભાગ હતા.

કૈલાશ ગેહલોત પાસે અત્યારે લૉ, રેવેન્યૂ, ટ્રાન્સપોર્ટ, WCD, IT અને AR ડિપાર્ટમેન્ટ છે. કૈલાશ ગેહલોત દિલ્હીના નજફગઢથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. તો રાજકુમાર આનંદ દિલ્હીના કેબિનેટ મંત્રી છે. તેઓ પટેલ નગરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે.એક રિપોર્ટ મુજબ કેજરીવાલ સરકારમાં આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજ નવા મંત્રી બનશે. મનીષ સિસોદિયાની ધરપકડ બાદ તેમણે અને સત્યેન્દ્ર જૈને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.

કેજરીવાલ સરકારે આતિશી મર્લેના અને સૌરભ ભારદ્વાજની મંત્રી તરીકે વરણી કરવાની ફાઇલ ઉપરાજ્યપાલ વિનય સક્સેનાને મકલી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે (26 ફેબ્રુઆરી)ના રોજ CBIએ 8 કલાક લાંબી પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. તેના આગામી દિવસે એટલે કે સોમવારે (27 ફેબ્રુઆરીના રોજ) મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ટે મનીષ સિસોદિયાને 5 દિવસની CBI રિમાન્ડમાં મોકલી દીધા છે. આ નિર્ણયને મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો, પરંતુ ત્યાંથી પણ ઝટકો લાગ્યો. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની અપીલ પર સુનાવણી કરવાની ના પાડી દીધી અને કહ્યું કે, તમારે હાઇ કોર્ટ તરફ જવું જોઈએ. ત્યારબાદ આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા આવી કે તેઓ હાઇ કોર્ટમાં જશે.

દિલ્હીમાં કેજરીવાલ સરકાર 17 નવેમ્બર 2021ના રોજ નવી એક્સાઈઝ પોલિસી લાગૂ કરી હતી. દિલ્હી સરકારે નવી એક્સાઈઝ પોલિસી લાવવાને લઈને માફિયા રાજ સમાપ્ત કરવાનો તર્ક આપ્યો હતો. જુલાઇ 2022માં દિલ્હીના તાત્કાલિન મુખ્ય સચિવે આ કેસમાં ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને રિપોર્ટ સોંપ્યો હતો. તેમાં એક્સાઈઝ પોલિસીમાં કૌભાંડ સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર દારૂ વેપારીઓને અનુચિત લાભ પહોંચાડવાનો આરોપ પણ લાગ્યો હતો. આ રિપોર્ટના આધાર પર CBIએ 17 ઑગસ્ટ 2022ના રોજ કેસ નોંધાયો હતો. રવિવારે આ જ કેસમાં CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.