અહી મુસ્લિમો પણ કરે છે છઠ પૂજા, 20 વર્ષોથી ચાલતો આવે છે વ્રતનો ક્રમ

On

લોક આસ્થાના મહાપર્વ છઠ પૂજાના રંગમાં આખું બિહાર ભક્તિમય થઈ ગયું છે. મહાપર્વની આસ્થા એવી છે કે જાતિ અને ધર્મની દીવાલ પણ આડે આવતી નથી. બિહારના ગોપાલગંજમાં મોટી સંખ્યામાં મુસ્લિમ પરિવાર પણ પૂરી આસ્થા અને શિદ્દત સાથે છઠ વ્રતની પ્રાપ્તિ થઈ છે. પરિવાર અને બાળકોની ખુશી માટે સંગ્રામપુર રાયમલ કોલોનીની મહિલાઓ વર્ષોથી છઠ પૂજા કરતી આવી રહી છે. શનિવારે ખરના કરવામાં આવ્યા. પ્રસાદ ગ્રહણ કર્યા બાદ 36 કલાકના નિર્જળા વ્રત રાખ્યા અને ત્યારબાદ છઠ ઘાટ પર છઠ મૈયાની આરાધના કરીને અસ્તાચલગામી ભગવાન ભાસ્કરને અર્ધ્ય આપવામાં આવ્યા.

RJDના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે સાસરા અને પૂર્વ મુખ્યમંત્રીના પિયરના ચૂરામચક પંચાયતન સંગ્રામપુર રાયમલ કોલોની ગામની મુસ્લિમ મહિલાઓ છેલ્લા 20 વર્ષોથી છઠ પર્વ મનાવી રહ્યા છે. સંગ્રામપુર રાયમલ કોલોની ગામની ગુડિયા ખાતૂન, ફૂલબીવી નેશા, સબરા ખાતૂન, હસીના ખાતૂન, સૈમુન નેશા, શબનમ ખાતૂન, સંતરા ખાતૂન અને નૂરજહાં ખાતૂનના ઘરોના આંગણમાં કિલકારીઓ ગુંજી છે, જેથી તેઓ છઠવ્રતી બની છે. ગુડિયા ખાતૂન કહે છે કે હું 15-16 વર્ષોથી છઠ વ્રત કરતી આવી રહી છું.

તેણે કહ્યું કે, અમારી બધી માનતા પૂરી થઈ છે. સરિતા નામની મહિલાનું કહેવું છે કે 3 વર્ષથી છઠ પૂજા કરી રહી છે. છઠી મૈયાથી દીકરો થવાની માનતા માગી હતી, જે પૂરી થઈ ગઈ છે. સાથે જ લાલી નામની મહિલાનું કહેવું છે કે તે જ્યારે સંગ્રામપુર આવી તો એ સમયે છઠવ્રત કરી રહી છે. 30 વર્ષથી સતત આ ક્રમ ચાલુ છે. ઘણા મુસ્લિમ પરિવારોની મહિલાઓ આ વ્રત કરે છે. ઉલ્લેખનીય છે કે લોક આસ્થાના મહાપર્વ છઠ વ્રત શુક્રવારે સ્નાન સાથે શરૂઆત થઈ ચૂકી છે. શનિવારે ખરના થયા. રવિવારે અસ્તાચલગામી કરવામાં આવ્યા અને આજે ઉદયમાન સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે.

તો ભારતમાં વહેતી એક નદીનો કિનારો એવો પણ છે જય એક કિનારે ભારતીય તો બીજા કિનારા પર વિદેશી મહિલાઓ છઠ પૂજા કરે છે. ભારત-નેપાળ સીમા પર બિહારનો સીતામઢી જિલ્લો છે. આ જિલ્લાના સોનાબરસ પેટાવિભાગ નેપાળ બોર્ડરની નજીક છે. બંને દેશોની સીમાથી એક નદી પસાર થાય છે. આ નદીનું મહત્ત્વ ત્યારે વધી જાય છે જ્યારે એક કિનારે ભારતીય ક્ષેત્ર અને બીજા કિનારે નેપાળી ક્ષેત્રની વ્રતી છઠ વ્રત કરે છે. આ નજારો ખૂબ જ અદ્દભુત અને અવિસ્મરણીય છે. આ નદીનું નામ છે ઝીમ.

Related Posts

Top News

PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા) હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી...
Education 
PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.