PM મોદીએ નવી સંસદ બનાવી, હવે CM યોગી જાણો શું કરવાના છે

દિલ્હીમાં નવા સંસદ ભવનની જેમ હવે ઉત્તર પ્રદેશમાં પણ નવી વિધાનસભા બનાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતી પર નવા વિધાનભવનની આધારશિલા રાખી શકાય છે. તેના નિર્માણ કાર્યમાં લગભગ 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. આ નવા ભવનનું નિર્માણ નિરામન દારૂલશફા અને આસપાસના વિસ્તારને ભેગા કરીને થશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજ્યની યોગી સરકાર રાજધાની લખનૌમાં નવી વિધાનસભા બનાવશે.

ડિસેમ્બર 2023માં તેની આધારશિલા રાખી શકાય છે અને વર્ષ 2027થી અગાઉ તેનું નિર્માણ કાર્ય પણ પૂરું કરી લેવામાં આવશે. સરકાર 25 ડિસેમ્બર 2023ના રોજ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેનો શિલાન્યાસ કરાવવા માગે છે. હાલની વિધાનસભાની બિલ્ડિંગ લગભગ 100 વર્ષ જૂની છે. તે લખનૌના હજરતગંજમાં સ્થિત છે. જ્યારે વિધાનસભાની કાર્યવાહી ચાલે છે તો જગ્યા ઓછી હોવાના કારણે આસપાસ ટ્રાફિક જામની સમસ્યાથી ઝઝૂમવું પડે છે.

ભવિષ્યમાં સભ્યોની સંખ્યા અને અન્ય જરૂરિયાતોને જોતા પણ નવા વિધાનસભાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ભવિષ્યમાં થનારા સીમાંકનને જોતા હાલની વિધાનસભા ખૂબ નાની સાબિત થશે. એવામાં યોગી સરકારનું લક્ષ્ય છે કે 18મી વિધાનસભાના ઓછામાં ઓછું એક સત્રનું આયોજિન નવી વિધાનભાવનમાં થાય. હાલનુ વિધાનભવનનું ઉદ્વઘાટન 1928માં થયું હતું. તો નવા બનવા જઈ રહેલા વિધાનભવનનું ઉદ્વઘાટન 2027 અગાઉ કરવાનું લક્ષ્ય છે. નવા વિધાનભવનનો પ્રસ્તાવ પહેલા જ પાસ થઈ ચૂક્યો છે.

વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ જણાવ્યું કે, આ તેમની ઈચ્છા છે કે જલદી જ નવી વિધાનસભા ઉત્તર પ્રદેશને મળે. તેમનું કહેવું છે કે આ સરકારનું કામ છે અને અત્યાર સુધી તેમને તેની બાબતે સૂચિત કરવામાં આવ્યા નથી, પરંતુ તેઓ નવી વિધાનસભા બનવાની રાહ જોઈ રહ્યા છે.

દિલ્હીમાં બનેલા નવા સંસદ ભવનનું કામકાજ 19 સપ્ટેમ્બર (મંગળવાર)થી શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં નવા સંસદ ભવનની આધારશિલા રાખી હતી. પછી તેમણે 28 મે 2023ના રોજ તેનું ઉદ્વઘાટન કર્યું. 3 વર્ષ કરતા ઓછા સમયમાં નવી સંસદ બનીને તૈયાર થઈ ગઈ. સંસદની 4 માળની ઇમારત 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલી છે. તેને બનાવવામાં લગભગ 1,200 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. નવી સંસદમાં તમામ હાઈટેક સુવિધાઓથી લેસ છે. નવા સંસદ ભવનમાં લોકસભા કક્ષમાં 888 સભ્યો અને રાજ્યસભા કક્ષમાં 300 સભ્યોના બેસવાની વ્યવસ્થા છે. જો બંને સદનોની સંયુક્ત બેઠક થાય છે તો લોકસભા કક્ષમાં કુલ 1280 સભ્યોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.