હનીમૂન માટે શિલોંગ ગયેલ નવદંપતી થયું ગુમ, ભાડે લીધેલી એક્ટિવા મળી; 10 દિવસ પહેલા લગ્ન થયા હતા

11 મેના રોજ લગ્ન કરનારા ઇન્દોરના નવદંપતી રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ રઘુવંશી શિલોંગમાં તેમના હનીમૂન દરમિયાન રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે. બંને 20 મેના રોજ હનીમૂન માટે રવાના થયા. તેમનું છેલ્લું સ્થાન શિલોંગના સંવેદનશીલ વિસ્તાર ઓસરા હિલમાં મળી આવ્યું હતું, જ્યાં તેમનું ભાડે રાખેલ એક્ટિવા છોડી દેવાયેલી હાલતમાં મળ્યું હતું. રાજા અને સોનમના ભાઈઓ ઇન્દોરથી શિલોંગ પહોંચી ગયા છે અને સ્થાનિક પોલીસ સાથે મળીને તેમને શોધી રહ્યા છે.

હકીકતમાં, ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીએ આ મહિને 11 મેના રોજ સોનમ સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ પછી, બંને નવદંપતી 20 મેના રોજ ઇન્દોર અને બેંગલુરુ થઈને ગુવાહાટી પહોંચ્યા. ત્યાંથી, મા કામાખ્યાના દર્શન કર્યા પછી, તેઓ 23 મેના રોજ મેઘાલયના શિલોંગ જવા રવાના થયા. શિલોંગ પહોંચ્યા પછી, શરૂઆતમાં તેઓ પરિવારના સંપર્કમાં રહ્યા, પરંતુ 23 મે પછી તેમનો સંપર્ક તૂટી ગયો. રાજાના મોટા ભાઈ સચિન રઘુવંશીએ શરૂઆતમાં વિચાર્યું કે, તે નેટવર્ક સમસ્યા હોઈ શકે છે, પરંતુ 24 મેથી, તેમના બંનેના મોબાઇલ ફોન બંધ મળી આવ્યા, જેના કારણે પરિવારને ચિંતા થઇ હતી. ઘણા પ્રયાસો પછી પણ જ્યારે કોઈ સંપર્ક ન થયો, ત્યારે સોનમનો ભાઈ ગોવિંદ અને રાજાનો ભાઈ વિપિન ઈમરજન્સી ફ્લાઈટ દ્વારા શિલોંગ પહોંચ્યા.

Missing Couple
bhaskar.com

જ્યારે ગોવિંદે ગુગલ મેપ અને તેના ફોટા દ્વારા લોકેશન ટ્રેસ કર્યું, ત્યારે તેને એક્ટિવા ભાડે આપતી એજન્સી વિશે માહિતી મળી. એજન્સીએ પુષ્ટિ આપી કે, દંપતીએ તેમની પાસેથી એક એક્ટિવા ભાડે લીધી હતી અને ઓસરા હિલ તરફ ગયા હતા.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, એક્ટિવા ડુંગરાળ વિસ્તારમાં એક ખાડા પાસે ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. આ વિસ્તારમાં ઓરસા નામનો એક રિસોર્ટ પણ છે, જેને ગુનેગારોનો અડ્ડો માનવામાં આવે છે. સચિન રઘુવંશીએ જણાવ્યું કે, સ્થાનિક ભાષાની સમસ્યાને કારણે ત્યાંની પોલીસની મદદ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

Missing Couple
shreenews.in

આ પછી ઇન્દોર પોલીસ કમિશનર સંતોષ સિંહનો સંપર્ક કરવામાં આવ્યો, જેમણે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DCP ક્રાઇમ બ્રાન્ચ રાજેશ કુમાર ત્રિપાઠીને તપાસ સોંપી. તેઓ શિલોંગ પોલીસ સાથે સતત સંપર્કમાં છે. મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી તુલસીરામ સિલાવતે પણ રઘુવંશી પરિવાર સાથે વાત કરી અને રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી.

ઇન્દોર પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે, 'આ ઘટનાની માહિતી મળ્યા બાદ, તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. DCP રાજેશ ત્રિપાઠીની આગેવાની હેઠળની પોલીસ ટીમ શિલોંગ પોલીસના સંપર્કમાં છે અને ત્યાંના અધિકારીઓ સાથે સતત ચર્ચા કરી રહી છે. રઘુવંશી પરિવારના સભ્યો સાથે વીડિયો કોલ દ્વારા પણ વાત કરવામાં આવી છે. શિલોંગ પોલીસ અને ઇન્દોર પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે બંને ટૂંક સમયમાં મળી આવશે. હાલમાં, ભાડે રાખેલ એક્ટિવા ઘટનાસ્થળેથી મળી આવ્યો છે અને શિલોંગ પોલીસ પરિવારના સભ્યો સાથે મળીને બંનેની શોધમાં લાગી ગઈ છે.'

Missing Couple
etvbharat.com

સોહરામાં સ્થિત એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'સર્ચ ટીમો પ્રવાસીઓમાં લોકપ્રિય ટ્રેકિંગ ટ્રેલ્સ અને ગાઢ જંગલ વિસ્તારોની તપાસ કરી રહી છે. આ વિસ્તાર તેના ઝરણાઓ માટે પ્રખ્યાત છે.'

તાજેતરના મહિનાઓમાં આ વિસ્તારમાં ગુમ થવાની આ બીજી ઘટના છે. ગયા એપ્રિલમાં, 41 વર્ષીય હંગેરિયન પ્રવાસી પુસ્કાસ ઝ્સોલ્ટ નોંગરાટ જતા રસ્તે રામદૈત ગામ નજીક મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના ગુમ થયાની જાણ થયાના 12 દિવસ પછી તેનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે....
Politics 
મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.