પુલવામાના 11 શહીદ પરિવારોને કેમ નથી મળી નોકરી? સરકારે સંસદમાં આપ્યો જવાબ

વર્ષ 2019માં જમ્મુ-કશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની લગભગ એક ડઝન વિધવાઓએ સરકારી નોકરી માટે અરજી કરવા માટે પોતાના બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી રાહ જોવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના 19 પરિવારજનોને અનુકંપાના આધાર પર સરકારી નોકરી આપવામાં આવી છે. વધુ 3 નિમણૂક પ્રક્રિયામાં છે.

14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં એક આત્મઘાતી હુમલાવર દ્વારા કરવામાં આવેલા હુમલામાં CRPFના 40 જવાન શહીદ થઈ ગયા હતા. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે, 11 વિધવાઓએ અનુકંપના આધાર પર સરકારી નોકરીઓની અરજી કરવા માટે પોતાના બાળકો 18 વર્ષના થવા સુધી રાહ જોવાનો નિર્ણય લીધો છે. તેમાંથી કેટલાક બાળકો 4 વર્ષ સુધીના છે. તેમાં CRPF હેડ કોન્સ્ટેબલ મનોજ કે. બેહરાની દીકરી અને કોન્સ્ટેબલ ભાગીરથ સિંહનો 7 વર્ષીય દીકરો સામેલ છે.

શહીદ થયેલા 40 CRPFના જવાનોના પરિવારજનોને આપવામાં આવેલી મૌદ્રિક સહાયતા અને સરકારી નોકરીઓનું વિવરણ શેર કરતા નિત્યાનંદ રાયે કહ્યું કે, પ્રત્યેક પરિવારને પૂરું વળતર આપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર, રાજ્ય સરકારો, વ્યક્તિગત અને કોર્પોરેટ દાતાઓ દ્વારા આપવામાં આવેલી કે દાન કરવામાં આવેલી 1.5 કરોડ રૂપિયાથી 3 કરોડ રૂપિયાની ધનરાશિ સામેલ છે. જ્યારે 8 શહીદ પરિવારોને કુલ વળતર 1.5 કરોડ રૂપિયાથી 2 કરોડ રૂપિયા વચ્ચે મળ્યું છે અને 29ને 3 કરોડથી 2.5 કરોડ રૂપિયા વચ્ચે મળ્યું છે. મંત્રીએ કહ્યું કે, 3 શહીદોના પરિવારોને તાત્કાલિક 2.5 કરોડ રૂપિયાથી 3 કરોડ રૂપિયા વચ્ચે વળતર મળ્યું.

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં ભીષણ આતંકી હુમલો થયો હતો, જ્યારે જમ્મુ-શ્રીનગર હાઇવે પર તેજીથી આગળ વધી રહેલા CRPFના જવાનોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં ભારતના 40 વીર જવાન શહીદ થઈ ગયા. પુલવામાં જિલ્લાના અવંતીપોરા પાસે લેથપોરા વિસ્તારમાં થયેલા હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી, ત્યારબાદ ભારતે માત્ર 12 દિવસમાં જ નાપાક પાકિસ્તાન સાથે બદલો લઈ લીધો. ભારતે 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને ઢેર કર્યા હતા.

પુલવામાં હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ આખા દેશમાં ગુસ્સાનો માહોલ હતો. 14 ફેબ્રુઆરી 2019ની બપોરના સમયે 300 કિલો વિસ્ફોટકથી લાદેલી ગાડીએ CRPFના જવાનોની ગાડીને ટક્કર મારીને કાફલાને ઉડાવી દીધો હતો. આતંકી હુમલા બાદ જવાનોને નજીકની આર્મી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ઘટનાસ્થળ પર જ મોટી સંખ્યામાં જવાનોના મોત થઈ ગયા હતા. ઘટનાની થોડી મિનિટો બાદ જ આખી દુનિયામાં તેની નિંદા થવા લાગી.

મોટા ભાગના દેશોએ ભારતના વીર જવાનો પર થયેલા આતંકી હુમલાની નિંદા કરી. આ ઘટનાને અંજામ આપનાર હુમલાવર આદિલ અહમદ ડાર હતો. એ સિવાય હુમલામાં સજ્જાદ ભટ્ટ ભટ્ટ, મુદસિર અહમદ ખાન જેવા આતંકીઓના હાથ પણ હતા, ત્યારબાદ સેનાએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા. ઘટનાની તપાસ NIAએ કરી, જેમાં તેણે 13,500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી.

About The Author

Top News

ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું

જયાં રોજના અબજો રૂપિયાના સોદા થાય છે અને જેને દેશના અર્થતંત્રની ધરી કહેવામાં આવે છે તેવું બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (...
Business 
ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું

બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..

બિહાર પછી હવે મધ્યપ્રદેશમાં પણ નગર પાલિકા અને પંચાયતની મતદાર યાદીમાં છેતરપિંડીની શક્યતાને કારણે રાજકીય ગરમી વધી ગઈ છે. રાજ્ય...
National 
બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..

ચૈતર વસાવાને હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવીની મુશ્કેલી વધી શકે છે. 5 જુલાઇએ નર્મદા જિલ્લામાં સંકલન બેઠક મળી હતી જેમાં...
Gujarat 
ચૈતર વસાવાને હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મોડી રાત્રે કારમાં 2 અલગ-અલગ રાજનીતિક પાર્ટીઓના નેતાઓ દ્વારા દારૂની પાર્ટી કરવાની વાત સામે આવતા વિવાદ છેડાઈ...
National  Politics 
‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.