હવે હાઈવે પર મળશે હાઈટેક સુવિધાઓ, QR કોડવાળા સાઇન બોર્ડ્સથી તરત મળશે જરૂરી જાણકારી

દેશમાં હાઈવે અને એક્સપ્રેસવેનું જાળ ઝડપથી વિસ્તરી રહ્યું છે. નવા માર્ગોનું નિર્માણ તો થઈ રહ્યું જ છે, સાથે સાથે જૂના હાઈવે પણ આધુનિક સુવિધાઓ સાથે અપગ્રેડ થઈ રહ્યા છે. હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) હાઈવેને વધુ સ્માર્ટ બનાવવા માટે એક અનોખું પગલું ભરી રહી છે. ટૂંક સમયમાં દેશભરના હાઈવે પર QR કોડવાળા ડિજિટલ સાઇન બોર્ડ્સ લગાવવામાં આવશે.

QR-code-signboards
news18.com

મુસાફરી દરમિયાન જો કોઈ યાત્રી આ QR કોડને મોબાઇલમાં સ્કેન કરશે, તો તેને તરત જ સફર સંબંધિત તમામ જરૂરી માહિતી મળશે.

ક્યાં મળશે QR કોડ બોર્ડ?

આ બોર્ડ હાઈવેની સાઇડ પર, ટોલ પ્લાઝા, ટ્રક પાર્કિંગ, રેસ્ટ એરિયા તેમજ હાઈવેના પ્રારંભ અને અંત સ્થળે લગાવવામાં આવશે.

QR-code-signboards1
news18.com

શું માહિતી મળશે?

હાઈવેનો નંબર, લંબાઈ અને તેની બનાવટ કે મરામતની વિગત, ઇમરજન્સી સંપર્ક નંબર: 1033 હેલ્પલાઇન, ટોલ મેનેજર, પ્રોજેક્ટ એન્જિનિયર અને NHAI ઓફિસ, નજીકની સુવિધાઓની માહિતી: હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, પેટ્રોલ પંપ, ટોયલેટ, હોટલ-રેસ્ટોરન્ટ, ટોલ પ્લાઝા, ટ્રક પાર્કિંગ, પંક્ચર રિપેર સેન્ટર અને ઇ-ચાર્જિંગ સ્ટેશન્સનું લોકેશન જેવી માહિતી મળશે.

QR-code-signboards3
news18.com

શું થશે ફાયદો?

આ પહેલથી યાત્રીઓને સફરમાં મદદ મળશે, ખાસ કરીને ઇમરજન્સી વખતે તરત સાચી માહિતી પ્રાપ્ત થશે. અત્યાર સુધી લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરતા હતા, જેમાં સાઇબર ફ્રોડનો ભોગ બનવાની શક્યતા રહેતી. હવે માત્ર એક QR કોડ સ્કેન કરીને જ તમામ માહિતી સુરક્ષિત રીતે મળશે.

સરકારના આ પગલાથી હાઈવે પર સુરક્ષા વધશે અને મુસાફરી વધુ સરળ તથા સુવિધાજનક બનશે.

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.