અમારા નેતા ગાંધી પરિવાર, ખડગે પાર્ટી ચલાવવા માટેઃ ખુર્શીદ, સચ્ચાઈ સામે આવી: BJP

રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' યુપીમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસના નેતાઓની બયાનબાજી શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધીને ભગવાન રામ ગણાવનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે હવે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાના નેતા તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. ખુર્શીદે સ્પષ્ટ કર્યું છે કે, ખડગે ફક્ત પાર્ટી ચલાવવા માટે જ છે, જ્યારે ગાંધી પરિવાર જ તેના નેતા છે. ખુર્શીદના આ નિવેદન બાદ BJPના નેતાઓએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે સત્ય સામે આવી ગયું છે.

કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદને પૂછવામાં આવ્યું કે, શું મલ્લિકાર્જુન ખડગેના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં કોઈ ફેરફાર થયો છે? જેના જવાબમાં ખુર્શીદે કહ્યું કે, અમારા નેતા ગાંધી પરિવાર છે અને તે જ રહેશે. ખડગે પાર્ટી ચલાવવા માટે છે. અમને પાર્ટી ચલાવવા માટે એક પૂર્ણ-સમયના નેતાની જરૂર હતી, જે પાર્ટીના કામકાજ પર ધ્યાન આપે. આ પહેલા ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી હતી, જેનાથી વિવાદ ઉભો થયો હતો. જોકે, હવે ખુર્શીદે કહ્યું છે કે, મેં આવું કહ્યું ન હતું.

સલમાન ખુર્શીદના નિવેદનનો વિરોધ કરતાં BJPના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, સત્ય સામે આવ્યું છે. કોંગ્રેસ મસ્કો મારવામાં (વધારે પડતા વખાણ કરવા) અને વંશ પરંપરામાં માને છે. કોંગ્રેસ અધ્યક્ષ ગમે તે હોય, સલમાન ખુર્શીદના મતે કમાન્ડ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે રહેશે. હવે મલ્લિકાર્જુન ખડગેને રિમોટ કંટ્રોલ પ્રમુખ કહો કે રબર સ્ટેમ્પ પ્રમુખ?

આ સાથે જ BJP સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પ્રહાર કરતા કહ્યું કે, સલમાન ખુર્શીદે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેને માત્ર કામ માટે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, પરંતુ અસલી નેતા ગાંધી પરિવાર છે. તેથી સ્પષ્ટ થાય છે કે ખડગે જી ચહેરો નથી પરંતુ પાર્ટી અને કોંગ્રેસના ચહેરા પરનું આવરણ છે અને કોંગ્રેસ તેના નેતાઓને દગો આપે છે. BJP સાંસદે AK એન્ટની પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, 'AK એન્ટનીએ કહ્યું કે, મુસ્લિમ સમુદાય તરફના ઝુકાવને કારણે કોંગ્રેસને 2014માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાબિત કરે છે કે કોંગ્રેસ હિંદુઓનું સમર્થન મેળવવા માટે ફક્ત નાટક જ કરે છે અને હિંદુ મતો મેળવ્યા પછી હિંદુ તાલિબાન, પાકિસ્તાન... કોંગ્રેસ માટે આતંકવાદીમાં બદલાઈ જાય છે.'

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.