શું છે સ્વદેશી 4G નેટવર્ક, જેને PM નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું, જાણો 5Gના જમાનામાં આ કેમ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના ઝારસુગુડાથી BSNLના સ્વદેશી 4G નેટવર્કનું ઉદ્ઘાટન કર્યું. ભારત હવે પ્રતિષ્ઠિત ટેલિકોમ્યુનિકેશન ઉપકરણ બનાવનારા પ્રતિષ્ઠિત દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે. BSNLની રજત જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 97,500થી વધુ 4G મોબાઇલ ટાવરનું પણ ઉદ્ઘાટન કર્યું, જેમાંથી 92,600 ટાવર આજ ટેલિકોમ સેવા પ્રદાતાની 4G ટેક્નોલોજીથી સજ્જ છે.

આ ટાવર્સ લગભગ 37,000 કરોડ રૂપિયાના ખર્ચે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. સ્વદેશી 4G નેટવર્કની શરૂઆત ભારત ડેનમાર્ક, સ્વીડન, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે જે સ્વદેશી ટેલિકોમ્યુનિકેશન ઉપકરોણો બનાવે છે.

modi1
x.com/SanataniMunda12

સ્વદેશી 4G નેટવર્ક શું છે?

આ ટેલિકોમ્યુનિકેશન કંપની BSNLનું સ્વદેશી 4G નેટવર્ક છે. તેનાથી  દેશભરના BSNL ગ્રાહકોને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે. તે ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવશે અને BSNLના 5G નેટવર્કની શરૂઆત અને એકીકરણ માટે માર્ગ મોકળો કરશે. આ શરૂઆત 26,700થી વધુ અંતરિયાળ, સીમાવર્તી અને વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોના ગામોને કનેક્ટિવિટી મળશે. જેમાં ઓરિસ્સાના 2472 ગામનો પણ સમાવેશ થાય છે.

20 લાખથી વધુ નવા ગ્રાહકોને સેવા આપશે. આ 4G મોબાઇલ ટાવર સૌર ઉર્જાથી ચાલે છે, જેથી આ ભારતના ગ્રીન ટેલિકોમ હબનું સૌથી મોટું સમૂહ બની ગયું છે. તે સતત ઢાંચો તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા ફંડ દ્વારા ભારતના 100% 4G સેચુરિટેડ નેટવર્કનું પણ અનાવરણ કર્યું, જેમાં મિશન મોડ પ્રોજેક્ટ હેઠળ 29,000 થી 30,000 ગામોને જોડવામાં આવ્યા છે.

modi2
com/ProfCmkr

5Gના યુગમાં 4G નેટવર્ક શા માટે?

ટેલિકોમ કંપની BSNL નેટવર્ક ક્ષમતાના સંદર્ભમાં એરટેલ, Jio અને Viથી પાછળ રહી ગઇ હતી. પરંતુ હવે BSNLનું સ્વદેશી 4G નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે, અને તેના ગ્રાહકોને પણ સારી ગતિ મળશે. તે પૂરી રીતે સ્વદેશી છે. BSNLના સ્વદેશી 4G નેટવર્કનો ફાયદો ગ્રાહકોને તો મળશે જ, પરંતુ 20 લાખથી વધુ નવા ગ્રાહકોને પણ ફાયદો થશે. તેનાથી એ વાત સમજી શકાય છે કે 4G ટાવરના ઉદ્ઘાટન થવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે 4G નેટવર્કને સરળતાથી 5Gમાં બદલી શકાય છે. તેમાં તેજસ નેટવર્ક તરફથી વિકસિત રેડિયો એક્સેસ નેટવર્ક સામેલ છે. તે C-DOC દ્વારા વિકસિત એક કોર નેટવર્ક છે, જેને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે એકીકૃત કર્યું છે.

About The Author

Related Posts

Top News

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

જો તમે સવારથી સાંજ સુધી WhatsApp પર સંદેશા અને વીડિયોઝ મોકલી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ...
Tech and Auto 
મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.