અતીક-અશરફની હત્યા વિપક્ષે કરાવી, રહસ્ય ખુલી જવાનો ડર હતો:યોગીના મંત્રીનું નિવેદન

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અને માફિયા અતીક અહમેદ અને તેના ભાઇ અશરફની હત્યા પછી રાજકારણમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. એ વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી સરકારના એક મંત્રીએ વિપક્ષ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે શનિવારે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, માફીયા અતીક અને અશરફની હત્યા વિપક્ષે કરાવી છે, કારણકે તેમને ડર હતો કે તેમના રાઝ ખુલી જશે. ગયા સપ્તાહમાં અતીક અને અશરફને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા ત્યારે તેમની જાહેરમાં હત્યા થઇ હતી.

અતીક અહેમદ અને અશરફની હત્યામાં ભાજપના નેતા ધર્મપાલ સિંહે વિપક્ષ પર મોટો આરોપ લગાવ્યો છે. ધરમપાલ સિંહે શનિવારે કહ્યું હતું કે, અતીક અહેમદની હત્યા વિપક્ષ દ્વારા કરવામાં આવી છે, કારણ કે આતિક દ્વારા વિપક્ષના ઘણા રહસ્યો ખુલવાના હતા. આથી તેમણે અતીકની હત્યા કરાવી હતી.

યોગી સરકારના મંત્રી ધર્મપાલ સિંહ શનિવારે ચંદોસીમાં હતા. તેમણે કહ્યુ કે, વિપક્ષી નેતાઓના કેટલાંક ગંભીર રહસ્યો અતીક અહમદ પાસે હતા. એ ખુલી જવાનો વિપક્ષને ડર હતો એટલે તેમણે અતીકની હત્યા કરાવી નાંખી છે.તેમણે અગાઉની સરકારો પર આરોપ લગાવતા કહ્યુ કે, પહેલાની સરકારોમાં પોલીસ અધિકારીઓ માફિયા અતીકના આંતકથી ખુરશીમાંથી ઉભા થઇ જતા હતા. ન્યાયાધીશો અતીકના કેસની સુનાવણીનો ઇન્કાર કરી દેતા હતા. પરંતુ યોગી સરકારે માફીયાને પગે પાડી દીધો હતો.

આ પહેલા ઉન્નાવમાં અતીકના પુત્ર અસદના એન્કાઉન્ટર પર ધર્મપાલ સિંહે કહ્યું હતું કે આજે અતીકના પુત્ર અસદ અને તેના ગુનેગારોને માર્યા જવાથી સમગ્ર યુપીમાં ખુશીની લહેર છે. તેમણે કહ્યું કે યોગી સરકારનું મોડલ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પ્રખ્યાત થઈ રહ્યું છે અને લોકો યોગીની જેમ સરકાર ચલાવવાની માંગ કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અને માફીયા અતીક અહમદે કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી હતી અને એક મીડિયા રિપોર્ટ મુજબ તેની પાસે 11000 કરોડની સંપત્તિ હતી. થોડા દિવસો પહેલા અતીકના પુત્ર અસદનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. એના પછી અતીક અને તેના ભાઇ અશરફની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. સાબરમતી જેલમાંથી અતીકને પ્રયાગરાજમાં એક કેસમાં લાવવામાં આવ્યો હતો તે વખતે પોલીસ મેડિકલ ટેસ્ટ માટે અતીકને લઇને ગઇ હતી. અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ફાયરીંગમાં અતીક- અશરફની ઢીમ ઢળી ગયા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.