Dis’Qualified MP: રાહુલે ટ્વીટર પર પોતાનો બાયો બદલીને કર્યો 'ડિસ્ક્વોલિફાઈડ MP'

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાંસદ પદ રદ્દ થયા બાદ પોતાના ટ્વીટર બાયોમાં ફેરફાર કર્યો છે.  રાહુલે પોતાના બાયોમાં 'ડિસ્ક્વોલિફાઈડ MP'નો ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુરતની કોર્ટે દોષી ઠેરવ્યા હતા ત્યારબાદ સાંસદ સભ્ય તરીકે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ પછી રાહુલે આજે પોતાના બાયોમાં ડિસક્વોલિફાઇડ સાંસદ લખ્યું છે.

મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે, ગાંધી કોઈની માફી નથી માગતાઃ રાહુલ

રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ શનિવારે કોંગ્રેસ હેડઓફિસમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરી. આ દરમિયાન તેમણે BJP સરકાર પર હુમલો બોલ્યો. તેમણે મોદી અદાણીના સંબંધો પર સવાલ પૂછ્યા. તેમણે કહ્યું કે, દેશમાં લોકતંત્ર પર હુમલો થઈ રહ્યો છે. આ ઉપરાંત, તેમણે સંસદમાં પોતાની સ્પીચ હટાવવા પર પણ વાત કહી. કોંગ્રેસ નેતા રાહુલને મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા સંભાવ્યા બાદ શુક્રવારે સ્પીકર ઓમ બિરલાએ તેમનું સંસદ સભ્યપદ રદ્દ કરી દીધુ. તેમને સુરત સેશન્સ કોર્ટે દોષી જાહેર કર્યા છે. જોકે, હજુ તેમની પાસે ઉપરની કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે. બીજી તરફ, રાહુલ ગાંધી વિરુદ્ધ એક એક્શન પર કોંગ્રેસ કહ્યું કે, આ ભારતીય લોકતંત્રની સ્થિતિ વિશે દુનિયાને એક ખૂબ જ ખરાબ સંકેત મોકલી રહ્યા છે.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું હતું કે, મેં સંસદમાં એ સવાલ પૂછ્યો કે અદાણીજીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ કોણે ઇન્વેસ્ટ કર્યા. આ પૈસા અદાણીજીના નથી તો આ રકમ કોની છે. મેં સંસદમાં જણાવ્યું કે, PM મોદી અને અદાણીની વચ્ચે શું સંબંધ છે. મીડિયા રિપોર્ટ્સના હવાલાથી મેં તેમને પુરાવા પણ આપ્યા. રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં લોકતંત્ર પર આક્રમણ થઈ રહ્યું છે. સંસદમાં મંત્રીઓ મારી વિરુદ્ધ ખોટું બોલ્યા. તેમણે કહ્યું- મેં વિદેશી તાકાતો પાસે મદદ માંગી છે. મેં એવી વાત નથી કહી. સંસદમાંથી મારા ભાષણોને હટાવી દેવમાં આવ્યા. તેમણે કહ્યું- હું સવાલ પૂછવાનું બંધ નહીં કરીશ. હું ડરવાનો નથી.

રાહુલ ગાંધીએ કહ્યું- મોદીજી અને અદાણીનો સંબંધ ખૂબ જ જુનો છે. જ્યારે નરેન્દ્ર મોદીજી ગુજરાતના CM બન્યા હતા, ત્યારથી સંબંધ છે. મેં વિમાનમાં બેઠેલો તેમનો ફોટો પણ બતાવ્યો છે, તેઓ પોતાના મિત્ર સાથે આરામથી બેઠા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, અદાણી પર મારા ભાષણથી વડાપ્રધાન ડરેલા છે અને તેમનો આ ડર મેં તેમની આંખોમાં જોયો છે આથી, પહેલા મુદ્દા પરથી ધ્યાન ભટકાવવામાં આવ્યું. ત્યારબાદ મને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યો.

રાહુલ ગાંધીએ કહ્યું- હું સવાલ પૂછવાનું બંધ નહીં કરીશ. અદાણીનો નરેન્દ્ર મોદીજી સાથે શો સંબંધ છે? આ હું પૂછતો રહીશ. હું હિંદુસ્તાનના લોકતંત્ર માટે લડી રહ્યો છું. હું લોકતંત્ર માટે લડતો રહીશ. હું કોઈનાથી નથી ડરતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભલે તેઓ મને સ્થાયીરૂપથી અયોગ્ય જાહેર કરી દે, હું મારું કામ કરતો રહીશ. મને તેનાથી કોઈ ફરક નથી પડતો કે હું સંસદની અંદર છું કે નહીં. હું દેશ માટે લડતો રહીશ.

રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં OBCનો મામલો નથી. આ અદાણી અને મોદીજીના સંબંધનો મામલો છે. ભારત જોડો યાત્રા દરમિયાન આપવામાં આવેલા મારા નિવેદનોને જો તમે જોશો તો મેં ક્યારેય એવી વાતો નથી કહી. મેં દરેક વર્ગને એકજૂથ થવા માટે વાત કહી. તેમણે કહ્યું- બધા એક છે, દેશમાં ભાઈચારો હોય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થવાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. તેના પર તેમણે કહ્યું- મારું સમર્થન કરવા બદલ હું તમામ વિપક્ષી દળોનો આભાર વ્યક્ત કરું છું, આપણે બધા મળીને કામ કરીશું. તેમણે માફી માગવાના સવાલ પર કહ્યું- મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે, ગાંધી કોઈની માફી નથી માંગતા.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.