એક જ ગુનામાં ઘણીવાર થઈ શકે છે સજા! મોદી સરનેમ મામલામાં રાહુલ પાસે કયા છે વિકલ્પ?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આજે એટલે કે બુધવારે પટનાની MP MLA કોર્ટમાં મોદી સરનેમવાળા માનહાનિના વધુ એક કેસની સુનાવણી થવાની હતી. જોકે, રાહુલ ગાંધી સુનાવણીમાં ના પહોંચી શક્યા. હવે 25 એપ્રિલે બીજી સુનાવણી થશે. માનહાનિના એવા જ એક કેસમાં ગત મહિને સૂરત કોર્ટે તેમને દોષી જાહેર કર્યા હતા. કોર્ટે તેમને બે વર્ષની સજા પણ સંભળાવી છે. આ કારણે તેમનું સંસદ સભ્યપદ છીનવાઈ ગયુ છે. જોકે, રાહુલ હાલ જામીન પર છે. બિહારમાં રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ BJPના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ દાખલ કરાવ્યો છે.

આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે, શું એક જ અપરાધ માટે આરોપીને ઘણીવાર સજા સંભળાવી શકાય છે? જાણો શું કહે છે એક્સપર્ટ.

સુપ્રીમ કોર્ટમાં વકીલ ફુઝૈલ ખાનના જણાવ્યા અનુસાર, ભારતીય ન્યાય વ્યવસ્થા અને સંવિધાનના અનુચ્છેદ 13 અનુસાર, એક આરોપ અથવા અપરાધમાં કોઈકને એક જ વાર સજા સંભળાવી શકાય છે પરંતુ, આપરાધિક મામલાના વિશેષજ્ઞ વકીલ સુશીલ ટેકરીવાલના વિચાર તેનાથી ઉલટ છે. ટેકરીવાલના જણાવ્યા અનુસાર, પટનાની કોર્ટ આ મામલામાં સૂરત કોર્ટના નિર્ણય છતા ટ્રાયલનો આદેશ આપી શકે છે.

 

વકીલ ફુઝૈલ ખાને જણાવ્યું કે, સૂરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસની સુનાવણી થઈ ચુકી છે આથી, હવે પટના કોર્ટમાં રાહુલને સૂરત મેજિસ્ટ્રેટ કોર્ટની સજાના આદેશ અને સત્ર કોર્ટના જામીનના આદેશ રજૂ કરી એ જણાવવાનું રહેશે કે આ આરોપમાં તેમને સજા અને જામીન બંને થઈ ચુક્યા છે. આ ઉપરાંત, પટના કોર્ટમાં જામીન માટે અરજી પણ આપવી પડશે. આ ઉપરાંત, પટના હાઈકોર્ટમાં રાહુલ ગાંધીએ નીચલી કોર્ટમાંથી જાહેર સમન રદ્દ કરવાની અરજી પણ આપવી પડશે. વકીલ ફુઝૈલ ખાને જણાવ્યું કે, રાહુલ ગાંધીએ પટનામાં શરૂ થયેલી સુનાવણીમાં વ્યક્તિગતરીતે હાજર થવાની જરૂર નથી પરંતુ, જ્યારે તેમની જામીન અરજી પર સુનાવણી થશે તો તેમણે પોતે હાજર થવુ પડશે. જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટ આરોપીની વ્યક્તિગત ઓળખ દાખલ કર્યા બાદ જ જામીન આપે છે.

જ્યારે સુશીલ ટેકરીવાલે પણ એ વાત પર સહમતિ વ્યક્ત કરી કે સુનાવણીના શરૂઆતી ચરણમાં રાહુલનું વ્યક્તિગતરીતે કોર્ટમાં હાજર થવુ જરૂરી નથી. તેઓ સુનાવણી દરમિયાન વ્યક્તિગત હાજરીમાંથી છૂટની માંગ કરી શકે છે. તેમજ, ટેકરીવાલે જણાવ્યું કે રાહુલ પટના હાઈકોર્ટની સામે CRPCની ધારા 482 અને સંવિધાનના અનુચ્છેદ 20(2) અંતર્ગત અરજી દાખલ કરી શકે છે. તેના દ્વારા સમન રદ્દ કરવા અને એક જ અપરાધ માટે બેવાર સજા ન આપવાની અપીલની પુષ્ટિ થાય છે. તેમને કોર્ટમાંથી રાહત મળવાના પૂરા આસાર છે. વકીલ સુશીલ ટેકરીવાલ કહે છે કે, રાહુલ ગાંધીની પાસે સુપ્રીમ કોર્ટ જઈને આ મામલા સાથે સંકળાયેલી તમામ FIR અથવા ફરિયાદો અથવા કેસને ક્લબ કરવાનો પણ વિકલ્પ નથી બચ્યો.

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં 13 એપ્રિલ, 2019ના રોજ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સરનેમ કોમન શા માટે છે? બધા ચોરોની સરનેમ મોદી શા માટે હોય છે? ત્યારબાદ BJP ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કરતા આરોપ લગાવ્યો હતો કે રાહુલે 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતા સમગ્ર મોદી સમુદાયને કથિતરીતે એવુ કહીને બદનામ કરી કે તમામ ચોરોની સરનેમ મોદી શા માટે હોય છે? તેમના આ નિવેદનથી અમારી અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી. તેમની અરજી પર સુનાવણી બાદ રાહુલ ગાંધીને IPCની ધારા 499 અને 500 અંતર્ગત કોર્ટે દોષી જાહેર કર્યા હતા. પૂર્ણેશ મોદી બાદ બિહારમાં સુશીલ મોદીએ પણ કેસ દાખલ કરાવી દીધો હતો, જેના પર સુનાવણી થઈ ગઈ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.