રાહુલ ગાંધીને પ્રધાનમંત્રીનો ચહેરો ન બનાવવા જોઇએ, શશિ થરુરે જણાવ્યું કારણ

કોંગ્રેસ સાંસદ શશિ થુરરે કહ્યું કે INDIA ગઠબંધન માટે આગામી લોકસભા ચૂંટણીમાં કોઇને પણ પ્રધાનમંત્રી પદના ઉમેદવારને ઉતારવો યોગ્ય રહેશે. ચૂંટણી ચહેરા પર નહીં, પરંતુ મુદ્દા પર લડાવવી જોઇએ. તેમણે કહ્યુ કે મારું માનવું છે કે ગઠબંધન ચૂંટણી પછી જ એનો વિચાર કરે કે પ્રધાનમંત્રી કોણે બનવું જોઇએ. એટલા માટે મારું માનવું છે કે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ન બનાવવા જોઇએ.

થરૂરે પત્રકારોને જણાવ્યું હતું કે, INDIA મોર્ચો ઝડપથી આગળ વધી રહ્યો છે અને ઉભરી રહ્યો છે. આ સાથે જ શશિ થરૂરે કેન્દ્ર સરકાર પર સરહદ પર ચીનની આક્રમકતા રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર પર આકરા પ્રહારો કરતા થરૂરે કહ્યું કે જ્યાં સુધી એવું કહીને લોકોને છેતરવાનું બંધ નહીં કરે કે ચીને કશું કર્યું નથી અને કોઈ ફેરફાર થયો નથી. તો દેશે મોટું નુકશાન વેઠવું પડી શકે છે અને ચીનના હાથે આપણો મહત્ત્વનો વિસ્તાર ગુમાવવો પડી શકે છે.

તાજેતરમાં જ CWCના સભ્ય બનેલા થરૂરે કહ્યું, જ્યાં પણ પક્ષને ઉપયોગી જણાય. હું સમિતિની અંદર અને બહાર યોગદાન આપવા માટે ઉત્સુક છું. અમારા માટે હવે, મને લાગે છે કે તાત્કાલિક ફોકસ, તાત્કાલિક પ્રાથમિકતા 2024ની ચૂંટણીઓ અથવા કદાચ તેનાથી પણ પહેલા હોવી જોઈએ.

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કહ્યું, અમને ખબર નથી કે કેટલાક લોકોના સૂચન મુજબ વહેલી ચૂંટણી થઈ શકે છે કે કેમ. પરંતુ ગમે તે થાય, આપણે ભારતના લોકોનો સામનો કરવા અને તેમના માટે સત્તા પરત લેવા માટે તૈયાર રહેવું પડશે. તેમણે ઘણા સમાન વિચારધારા ધરાવતા નેતાઓના સમર્થનથી AICC પ્રમુખની ચૂંટણી લડી હતી. હું દૃઢપણે માનું છું કે ચૂંટણી દરમિયાન મને મળેલા તમામ સમર્થનને કારણે હું CWC સભ્ય બન્યો છું.

વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવ પર શશિ થરુરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે, એવી કોઇ વ્યવહારિક રીત નથી જેનાથી આવી પ્રણાલી લાગૂ પડી શકે. તેમણે આગળ કહ્યું કે વન નેશનલ વન ઇલેકશન એ સંસદીય લોકતંત્ર પર આધારિત હાલની પરંપરાની વિરુદ્ધ હશે, જ્યાં સદનમાં બહુમતી ગુમાવ્યા પછી પાર્ટીઓ સત્તામાં બની રહી શકતી નથી.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.