રાહુલે અડધી રાત્રે હાઇવે પર ટ્રકથી કરી મુસાફરી, લોકો કરી રહ્યા છે વખાણ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેડૂતો સાથે મુલાકાત બાદ હવે ટ્રક ડ્રાઇવરને મળવા પહોંચી ગયા. તેમણે અંબાલાથી ચંડીગઢ સુધી એક ટ્રકથી મુસાફરી કરી. કહેવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી શિમલા જઈ રહ્યા હતા, આ દરમિયાન ડ્રાઈવરો સાથે વાતચીત કરવાના ઉદ્દેશ્યથી એક ટ્રકમાં સવાર થઈ ગયા. કોંગ્રેસ તરફથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેના પર લોકો અને નેતાએ પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કોંગ્રેસ તરફથી વીડિયો શેર કરીને રાહુલ ગાંધીને જનનાયક બતાવતા ટ્વીટ કરી કે, ‘રાહુલજીએ તેમની સાથે દિલ્હીથી ચંડીગઢ સુધીની સફર કરી. મીડિયા રપોર્ટ્સ મુજબ, ભારતના માર્ગો પર લગભગ 90 લાખ ટ્રક ડ્રાઇવર્સ છે. તેમની પોતાની સમસ્યાઓ છે. તેમના મનની વાત સાંભળવાનું કામ રાહુલ ગાંધીજીએ કર્યું. કોંગ્રેસ નેતા શ્રીનિવાસને ટ્વીટ કરી કે તેઓ પોતાના મનની નહીં, દેશના મનની વાત સાંભળે છે. આ દિલ હિન્દુસ્તાન માટે ધડકે છે.

સુપ્રિયા સુનેતે ટ્વીટ કરી કે, હવે અડધી રાત્રે ટ્રકના ડ્રાઇવર્સ સાથે આખરે કેમ મુલાકાત કરી રહ્યા છે રાહુલ ગાંધી? કેમ કે તેઓ આ દેશના લોકોની વાત સાંભળવા માગે છે, તેમના પડકારો અને પરેશાનીઓ સમજવા માગે છે. તેમને એમ કરતા જોઈને એક વિશ્વાસ જેવો છલકાય છે. કોઈ તો છે જે લોકો સાથે ઊભું છે અને ધીરે ધીરે અનુભવ થઈ રહ્યો છે કે આ દેશ પરત ફરવા માગે છે પ્રેમ અને શાંતિના માર્ગ પર. ધીરેથી આ દેશ આખરે ચાલી જ પડ્યો છે રાહુલ ગાંધી સાથે.

@Jaikyyadav16 નામના યુઝરે લખ્યું કે, રાહુલ ગાંધીજીએ ટ્રકથી મુસાફરી કરી. આ નેતાના વખાણ માટે શબ્દ જ બચ્યા નથી. શું જમીની નેતા છે રાહુલ ગાંધી જી. @khabtiG નામના યુઝરે લખ્યું કે, દેશના કયા નેતા હશે જે આટલી ગરમીમાં ટ્રક ડ્રાઇવરોની પરેશાની સાંભળવા નીકળશે? એ તમે બનાવટી ઢંગે દેખાડા માટે નહીં કરી શકો. એ ત્યારે જ થઈ શકે છે જ્યારે હકીકતમાં તમારી અંદર કરુણા હોય, લોકોનું દુઃખ, દર્દ વહેચવાની ચાહત હોય. હવે લોકોને વિશ્વાસ થવા લાગ્યો છે કે તેમનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.

રમેશ સિંહ નામના યુઝરે લખ્યું કે, કેમર લઈને રાતના સમયે? જ્યારે સત્તાથી બહાર રહો છો તો આ જ પ્રકારે બધા નેતા જોવા મળે છે. એક અન્ય યુઝરે લખ્યું કે, રાહુલ જી ઈચ્છે છે કે તેમના એક ઇશારા પર જનતા મોદી સરકાર વિરુદ્ધ રસ્તા પર આવી જાય, એટલે પોતાનું નેટવર્ક વધારી રહ્યા છે, પરંતુ તેમને ખબર નથી કે ભારતની જનતા મોદીજીને કેટલો બધો પ્રેમ કરે છે. નરેન્દ્ર શર્મા નામના યુઝરે લખ્યું કે, આજે જ્યારે મોદીજીએ હાઇવેની સ્થિતિ સુધારી દીધી, આજે ટ્રક ડ્રાઈવરોને લગભગ જરૂરિયાતની દરેક સુવિધા મળી રહી છે, પરંતુ આ લોકો નાટક કરવા જશે જ.

કોંગ્રેસના નેતાઓ મુજબ, રાહુલ ગાંધીએ 22-23 મેની રાત્રે અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે મુલાકાત કરી અને સફર પણ કરી. આ દરમિયાન તેઓ ડ્રાઇવરોના મુદ્દા અને તેમની સમસ્યાઓને આપણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી સતત દેશને જોડાવા અને પ્રેમ વહેંચવાની વાત કહી રહ્યા છે, ગત દિવસોમાં તેમણે વિદ્યાર્થીઓ, ઝુંપડીઓમાં રહેતા લોકો સાથે પણ વાત કરી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.