55 વર્ષના વરરાજાએ કર્યા 25 વર્ષની યુવતી સાથે લગ્ન, કારણ જાણી તમે કરશો વખાણ

રાજસ્થાનના દૌસા જિલ્લામાં થયેલા એક અનોખા લગ્ન હવે ચર્ચામાં છે કેમ કે લગ્ન કરનારો વરરાજો 55 વર્ષનો છે અને દુલ્હનની ઉંમર તેનાથી અડધી એટલે કે 25 વર્ષની છે. તો યુવતી સાથે લગ્ન કરનારા 55 વર્ષીય વ્યક્તિના તેના ગામમાં ખૂબ વખાણ થઇ રહ્યા છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ લગ્નમાં શું હતું ખાસ.

દૌસા જિલ્લાના લાલસોટના નવરંગપુરા ગામના રહેવાસી બલ્લૂ રામ ઉર્ફ બલરામના લગ્ન નાપાના બાસની રહેવાસી વિનિતા સાથે 3 મેના રોજ ખૂબ ધામધૂમ સાથે થયા. હવે આ લગ્નની ચર્ચા આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા છે કેમ કે વરરાજાની ઉંમર 55 વર્ષ છે તો દુલ્હનની ઉંમર 25 વર્ષની છે. લગ્ન પાછળનું કારણ પણ હેરાન કરી દેનારું છે. દુલ્હન દિવ્યાંગ છે અને તે ચાલવામાં પૂરી રીતે અસમર્થ છે, તો બલ્લૂ રામ પૂર્ણ રૂપે સ્વાસ્થ છે.

કહેવામાં આવી રહ્યી છે કે છેલ્લા 31 વર્ષથી બલ્લૂ ગામમાં ઉપસ્થિત મંદિરમાં ભગવાન શિવની પૂજા અર્ચનામાં લાગ્યો છે અને ભગવાન શિવની ભક્તિના કારણે તેણે મનમાં ક્યારેય લગ્ન કરવાનું વિચાર્યું નહોતું. બલ્લૂ રામની 7 બહેનો છે, પરંતુ ઉંમરના પડાવમાં તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. પછી બલ્લૂ માટે પરિવાર અને સંબંધીઓએ છોકરી શોધવાની શરૂઆત કરી દીધી. એક દિવસ બલ્લૂને જાણકારી મળી કે નાપાના બાસની રહેવાસી વિનિતા દિવ્યાંગ છે અને તેના લગ્ન થઈ રહ્યા નથી. એવામાં 31 વર્ષ સુધી ભગવાન શિવની સેવા કરનારા બલ્લૂ રામે વિનિતા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

બીજી તરફ વિનિતાના પરિવારનું કહેવું હું કે, વિનિતા જ્યારે 12 વર્ષની હતી ત્યારે આંગણમાં આવેલા ઝાડથી નીચે પડતા કરોડરજ્જુના હાડકાંમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. વર્ષો સુધી તેની સારવાર કરાવવામાં આવી, પરંતુ વિનિતાની કમર નીચેના હિસ્સાએ કામ કરવાનું બંધ કરી દીધું. દીકરીના દિવ્યાંગ હોવાના કારણે તેના લગ્ન થઈ શકતા નહોતા. પરિવાર મુજબ, વચ્ચે તેના માટે સંબંધ આવ્યો હતો, પરનું એ છોકરો પણ દિવ્યાંગ હતો. એવામાં વિનિતાનો ખ્યાલ કોણ રાખતું, તેની સમસ્યા સામે ઊભી થઈ રહી હતી, પછી જ્યારે બલ્લૂ રામના સંબંધ આવ્યા તો અમે લોકો રાજી થઈ ગયા.

બંને પરિવાર બલ્લૂ અને વિનિતાના લગ્ન નક્કી કર્યા અને પછી 3 મેના રોજ બંનેના લગ્ન પુરા રીત-રિવાજો સાથે કરાવવામાં આવ્યા. બલ્લૂ શેરવાની અને સાફો પહેરીને દુલ્હનને લેવા પહોંચ્યો હતો. વિનિતાના પરિવારની મહિલાઓએ બલ્લૂનું સ્વાગત કર્યું અને લગ્નના રીત-રિવાજ નિભાવ્યા. ફેરાઓ વખત વિનિતાને તેના ભાઈએ ખોળામાં ઉઠાવી હતી. એવામાં બલ્લૂ અને વિનિતાએ અગ્નિ સાથે ફેરા લીધા. ત્યારબાદ લગ્નના બાકી રિવાજોને નિભાવ્યા.

હવે આ લગ્નથી બંને પરિવારો સાથે સાથે આખા ગામના લોકો ખૂબ ખુશ છે. ગામના લોકો બલ્લૂ રામના વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે બલ્લૂ રામના આ નિર્ણયથી દિવ્યાંગ છોકરીની જિંદગી સુધરી ગઈ. બલ્લૂ રામનું કહેવું છે કે ભગવાનની સેવા 31 વર્ષોથી કરી રહ્યો છું. ક્યારેય લગ્ન બાબતે વિચાર્યું નહોતું. એવામાં વિનિતા બાબતે જાણકારી મળી તો તેની સાથે લગ્ન કરી લીધા. એ પણ એક પ્રકારની સેવા છે. વિનિતાનો સહારો મળશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.