આંસૂ પણ સૂકાયાઃ માતા, પિતા, મોટા બાપા, મોટી મા, ભાઈનું મોત, હવે બચ્યા બસ 3 બાળકો

રાજધાની જયપુરના ચક્સુ વિસ્તારના ડોયા કી ધાણી ગામમાં રહેતી 13 વર્ષની આરતી ચોવીસ કલાકમાં એટલું બધું રડી છે, હવે માસૂમ દીકરીના આંસુ પણ સુકાઈ ગયા છે. પિતાના અવસાન થયા બાદ તેની માતા અને ભાઈનું પણ અવસાન થયું છે. આ સાથે મોટા બાપુ અને મોટી માંએ પણ દુનિયા છોડી દીધી છે. બે પરિવારના મોભીઓના મૃત્યુ બાદ પરિવારમાં માત્ર ત્રણ બાળકો જ બચ્યા છે.

સમાજ અને પરિવારજનોના લોકોએ ચાર મૃતદેહોને રોડ પર મૂકીને વિરોધ શરૂ કર્યો છે અને આ વિરોધ ઘણાં કલાકો સુધી ચાલુ રહ્યો હતો. આજે આ મામલે CM અશોક ગેહલોતે માનવતા દાખવી છે અને હવે પરિવારના સભ્યોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. જો કે, પરિવારના લોકો દરેક સભ્યના મૃત્યુ પર 25 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો છે અને બે લોકોને સરકારી નોકરીની પણ માંગ કરી રહ્યો છે. સાંસદ કિરોરી લાલ મીણા પણ સ્થળ પર હાજર હતા અને પીડિત પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

CM અશોક ગેહલોતે અકસ્માત અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે જયપુરના કોટખાવડામાં રવિવારે એક માર્ગ અકસ્માતમાં 4 લોકોના અકાળે મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. CM અશોક ગેહલોતે કહ્યું કે, મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી ચિરંજીવી અકસ્માત વીમા યોજના હેઠળ 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

હકીકતમાં, કુશલપુરાના ડોયા કી ધાણી નિવાસી મદન લાલનું 17 મેના રોજ અવસાન થયું હતું. 19 મેના રોજ પરિવારના 6 સભ્યો તેની વિધિ કરાવવા હરિદ્વાર ગયા હતા. તેઓ રવિવારે પરત ફર્યા હતા અને એક ઝાડની છાયા નીચે તેમના સંબંધીઓની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ બાજુ ચિમાપુરા તરફથી એક નિયંત્રણ બહારની જીપ તેમના પર દોડી આવી હતી અને તેમને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં મોટા ભાઈ સીતારામ, તેની પત્ની અનિતા, મદન લાલની પત્ની સુનીતા અને પુત્ર ગોલુનું મોત થયું હતું.

જ્યારે, મદનલાલની 13 વર્ષની પુત્રી આરતી અને પુત્ર વિકી ઘાયલ થયા હતા. અકસ્માત બાદ જીપ ચાલક નાસી ગયો હતો. જેને પોલીસ શોધી રહી છે. પોલીસને જીપમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ ઘટના રવિવારે સવારે 11 વાગ્યા બાદ બની હતી. ત્યારપછી પરિવારજનોએ મૃતદેહ ઉપાડવાની ના પાડી હતી અને તમામ મૃતદેહોને રસ્તા પર મૂકીને વિરોધ કર્યો હતો. આ પ્રદર્શનમાં સાંસદ કિરોરી લાલ મીણા પણ દૌસાથી પહોંચ્યા હતા અને પીડિત પરિવારને મળ્યા હતા અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. આજે આ મામલે CM અશોક ગેહલોતે રાહત આપી છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.