મહારાષ્ટ્રમાં BJP-શિવસેના વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી? CM શિંદેના પુત્ર...

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે બાદ સાંસદના પુત્રએ રાજીનામાની ભલામણ કરી છે. તેમની સાથે જ રાજનૈતિક ગલિયારામાં ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેનાના ગઠબંધનમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. કલ્યાણ લોકસભા સીટથી સાંસદ શ્રીકાંત શિંદેએ ભાજપના કેટલાક નેતાઓ પર શિવસેના અને ભાજપના ગઠબંધનને નબળું કરીને સ્વાર્થી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

શ્રીકાંત શિંદેની આ પ્રતિક્રિયા એ પ્રસ્તાવ બાદ આવી છે જેમાં હાલમાં જ ભાજપના નેતાઓની સ્થાનિક એકાઈ દ્વારા કલ્યાણ લોકસભા ક્ષેત્રમાં આયોજિત એક બેઠકમાં પાસ કરવામાં આવ્યો હતો. તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ સીટ પર ભાજપ શિવસેનાનું સમર્થન નહીં કરે. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું કે, વર્ષ 2024માં અમે અને દેશમાં બધા લોકો નરેન્દ્ર મોદીને આ દેશના વડાપ્રધાનના રૂપમાં ફરી ચૂંટવા માગે છે. અમે તેના માટે ભરપૂર પ્રયાસ કરીશું, પરંતુ ડોંબીવલીના કેટલાક નેતા કોઈક કારણોસર શિવસેના અને ભાજપના ગઠબંધનમાં મીઠું નાખવાની સ્વાર્થી રાજનીતિ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, હું વ્યક્તિગત રૂપે કોઈ પદની આકાંક્ષા રાખતો નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં કોને ઉમેદવાર બનાવવાનો છે તેનો નિર્ણય શિવસેના અને ભાજપ ગઠબંધનના વરિષ્ઠ નેતા કરશે. જો મારું નામાંકન થતું નથી તો જે પણ ઉમેદવાર હશે અમે તેના માટે પ્રચાર કરીશું અને તેને જીતાડીશું. અમારું ઉદ્દેશ્ય ફરી ભાજપ-શિવસેના ગઠબંધન અને કેન્દ્રમાં ભાજપ સાથે સરકાર બનાવવાનું છે. જો કોઈ આ દિશામાં અમારા દ્વારા કરવામાં આવેલા કામનો વિરોધ કરે છે, જો કોઈ નારાજ થાય છે અને જો ગઠબંધનમાં કોઇ વ્યવધાન આવે છે તો હું પોતાના પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની કલ્યાણ લોકસભા સીટને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે તણાવ નજરે પડી રહ્યો છે. વર્તમાનમાં અહીથી મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદે સાંસદ છે. તો રાજનૈતિક જાણકારોનું કહેવું છે કે આ સીટ પર ભાજપની નજર છે. તેને લોકસભા ક્ષેત્રને ભાજપ પોતાનું પ્રાકૃતિક ક્ષેત્ર માને છે કેમ કે ત્યાંથી સ્વર્ગીય રામ કાપસે ઘણી વખત ધારાસભ્ય અને 2 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. એટલે ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં અહીથી પોતાનો ઉમેદવાર ઉતારવા માગે છે.

કલ્યાણ લોકસભા સીટમાં કુલ 6 વિધાનસભા સીટ આવે છે. તેમાંથી 3 પર ભાજપના ધારાસભ્ય છે. તેમાં રવીન્દ્ર ચૌવ્હાણ (ડોંબીવલી), કુમાર એલિયાની (ઉલ્હાસનગર) અને ગણપત ગાયકવાડ (કલ્યાણ પૂર્વ) સામેલ છે. તો માત્ર એક સીટ પર શિંદે ગ્રુપના ધારાસભ્ય છે. તો અંબરનાથ સીટ છે જ્યાંથી બાલાજી કિંકર ધારાસભ્ય છે. બાકી બચી 2 સીટ. તેમાંથી મુંબ્રા-કાલવા પર NCPથી જિતેન્દ્ર ચૌહાણ અને કલ્યાણ ગ્રામીણથી MNSના રાજૂ પાટિલ ધારાસભ્ય છે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.