ગલવાનમાં શહીદ થયા પતિ, હવે લેફ્ટનન્ટ બનીને રેખા દુશ્મનોનો કરશે સફાયો

જૂન 2020મા પૂર્વી લદ્દાખની ગલવાન વેલીમાં ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સાથે ઘર્ષણમાં માર્યા ગયેલા 20 બહાદૂરોમાંથી એકની પત્ની ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટના રૂપમાં નિમણૂક કરવામાં આવશે. સેનાના એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, મહિલાનું નામ રેખા સિંહ છે. રેખા સિંહ એ 200 કેડેટોમાં સામેલ થશે, જેમાં 40 મહિલાઓ સામેલ છે. જે 29 એપ્રિલના રોજ ચેન્નાઈ સ્થિત અધિકારીઓની ટ્રેનિંગ અકાદમીથી સ્નાતક થશે.

પહેલી વખત અધિકારીઓએ આ નવા બેચની 5 મહિલા કેડેટોને આર્ટિલરી રેજિમેન્ટમાં કમિશન આપવાની આશા છે. એક રિપોર્ટ્સ મુજબ, રેખાના લગ્ન બિહાર રેજિમેન્ટની 16મી બટાલિયનના નાયક દીપક સિંહ સાથે થયા હતા. જે 15 જૂન 2020ના રોજ ચીની સૈનિકો સાથે લડતા લડતા સુદૂર વેલીમાં શહીદ થઈ ગયા હતા. નવેમ્બર 2021માં તેમની વીરતા માટે તેમને મરણોપરાંત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર બાદ વીર ચક્ર ભારતનું ત્રીજું સૌથી મોટું યુદ્ધકાલીન સૈન્ય સન્માન છે. એ મહિલાઓ જેના પતિ યુદ્ધમાં કે ડ્યૂટીમાં શહીદ થઈ જાય છે, હવે જિંદગીમાં અગાળ વધી રહી છે અને શાસ્ત્ર બળોમાં પોતાનું કરિયર બનાવવાનો વિકલ્પ પસંદ કરી રહી છે. જેથી તેઓ પોતાના સૈનિક પતિઓના વારસાને આગળ વધારી શકે. સેના એ મહિલાઓને પ્રોત્સાહિત કરી રહી છે જે પોતાના દિવંગત પતિઓના માર્ગે ચાલવા માટે અધિકારી બનવા પાત્ર છે.

સેના તેમને એક નવી શરૂઆત કરવા માટે માર્ગદર્શન પણ પ્રદાન કરી રહી છે. શહીદોની પત્નીઓને સેવા સિલેક્શન બોર્ડ ઇન્ટરવ્યૂ માટે ક્વાલિફાઇડ કરવા માટે સંઘ લોક સેવા આયોગ (USPC) દ્વારા આયોજિત સંયુક્ત રક્ષા સેવા પરીક્ષામાં સામેલ થવાની છૂટ આપવામાં આવી છે. એ સિવાય તેઓ ઉંમરમાં છૂટની પણ હકદાર છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.