પ્રત્યક્ષદર્શીનો ચોંકાવનારો દાવો- ઓરિસ્સા રેલ અકસ્માત સમયે રેલવે ક્રોસિંગ પર...

ઓરિસ્સા ટ્રેન અકસ્માતે આખા દેશને ચોંકાવી દીધો છે. આ અકસ્માતમાં 288 લોકોના મોત થઈ ચૂક્યા છે અને લગભગ 1100 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એવામાં બધા લોકો આ ભીષણ ટ્રેન અકસ્માતનું કારણ જાણવા માગે છે. અકસ્માતને લઈને ઘણી થિયોરી સામે આવી છે. એવામાં એક પ્રત્યક્ષદર્શીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બાલસોરમાં જે જગ્યાએ આ અકસ્માત થયો છે એ દુર્ઘટનાસ્થળથી 20 મીટર દૂર રહેતા એક મેડિકલના માલિક સૌભાગ્ય રંજન સારંગી (ઉંમર 25 વર્ષ)એ કહ્યું કે, દુર્ઘટનાના સમયે રેલવે ક્રોસિંગ પર સમારકામનનું કામ ચાલી રહ્યું હતું.

ટ્રેક પર ઓછામાં ઓછા 10-15 ગેટમેન હતા. 25 વર્ષીય યુવકે એમ પણ કહ્યું કે, છેલ્લા 2 મહિનાથી કામ ચાલી રહ્યું હતું. ગેટમેનના રૂમમાં નિર્માણ ચાલી રહ્યું હતું. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, રેલવે ક્રોસિંગ પર અકસ્માતના દિવસે પણ કામ ચાલી રહ્યું હતું. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા પ્રત્યક્ષદર્શી દુકાનદારે જણાવ્યું કે, હું રોજ દુકાન બંધ કરીને જાઉ છું તો જોઉ છું કે ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. ત્યાં રેલવેનું કામ થઈ રહ્યું છે. પ્રત્યક્ષદર્શી મુજબ ટ્રેક પર બ્રોડગેજનું કામ છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યું છે.

ઓરિસ્સાના બાલાસોર જિલ્લામાં 2 જૂનના રોજ 3 ટ્રેનો વચ્ચે ટક્કર થઈ ગતિ હતી. બહનાગા બજાર સ્ટેશન પાસે SMVB-હાવડા એક્સપ્રેસ (12864) અને કોરોમંડળ એક્સપ્રેસ અને માલગાડીની ટક્કર થઈ ગઈ હતી. અકસ્માતમાં 288 લોકોના મોત થઈ ગયા હતા. 1100 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કોરોમંડળ એક્સપ્રેસ પશ્ચિમ બંગાળમાં કોલકાતાના હાવડા સ્ટેશન અને તામિનાડુના ચેન્નાઈ વચ્ચે ચાલે છે. અકસ્માતમાં 15 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. 7 ડબ્બા પૂરી રીતે પલટી ગયા હતા. તો 3 ગાડીઓ એક-બીજા સાથે ટકરાવાને લઈને રેલવેએ બોર્ડે વધુ એક મોટી જાણકારી આપી છે.

બોર્ડે ડ્રાઇવરના સંદર્ભે જણાવ્યું હતું કે, સિગ્નલમાં ગરબડીના કારણે આ આ અકસ્માત થયો. કોરોમંડળ એક્સપ્રેસના ડ્રાઇવરે જણાવ્યું હતું કે, તેણે ગ્રીન સિગ્નલ આપીને જ આગળનો રસ્તો નક્કી કર્યો હતો. તો યશવંતપુર એક્સપ્રેસના ડ્રાઇવરે અકસ્માત અગાઉ અજીબ અવાજ સાંભળવાનો દાવો કર્યો હતો. આ ભયાનક અકસ્માતમાં કોરોમંડળ એક્સપ્રેસ ટ્રેનને સૌથી વધુ નુકસાન થયું હતું.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.