અશોક ગેહલોતનો BJP અને RSS પર ગંભીર આરોપ,હિંદુત્વનો એજન્ડા રાજસ્થાનમાં નહીં ચાલશે

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધીને આરોપ લગાવતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, એવા સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP)  પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગેહલોતે કહ્યું કે હિંદુત્વનો એજન્ડા રાજસ્થાનમાં ચલાવવા દઈશું નહીં. બીજી તરફ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું  છે કે અમારી સરકાર આવશે તો નફરત ફેલાવનારી સંસ્થાઓ ભલે પછી તે બજરંગ દળ હોય તેની પર પ્રતિબંધ મુકવામાં આવશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાલોરના સર્કીટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીતમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, ભાજપ અને RSS રમખાણો કરાવે છે, લોકોને ધર્મના નામ પર ભડકાવે છે. તેમણે કહ્યું કે ભાજપ ગાયને લઇને પણ રાજકરાણ કરે છે, જ્યારે ગાયની સેવામાં કોંગ્રેસ હંમેશાં આગળ રહી છે. અમે ગાયના નામ પર મતની વાતો નથી કરતા, તો શું અમે હિંદુ નથી?

અશોક ગેહલોતે આગળ કહ્યું કે, કેટલાંક લોકો માત્ર રામંદિરનું રાજકારણ કરવા માટે હિંદુ બની ગયા છે. તેમને હિંદુ ધર્મ સાથે કોઇ લેવા-દેવા નથી. ગેહલોતે કહ્યું કે, ભાજપનો હિંદુત્વનો એજન્ડા અમે રાજસ્થાનમાં ચાલવા દઇશું નહીં.

મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે શાજાપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં જે કોઇ પણ નફરત ફેલાવવાનું કામ કરશે તેની પર પ્રતિબંધ મુકી દેવામાં આવશે. એના માટે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ છે. ભલે પછી બજરંગ દળ હોય કે અન્ય સંસ્થા હોય, પ્રતિબંધ મુકી દેવાશે.

કમલનાથે કહ્યુ કે ઇંદોરમાં પોલીસે બજરંગ દળ પર જે કાર્યવાહી કરી છે તેનું કોંગ્રેસ સમર્થન કરે છે, પરંતુ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસના કહેવાથી પોલીસે બજરંગ દળના કાર્યકરોની પિટાઇ નહોતી કરી. કોંગ્રેસ બજરંગ દળના વિરોધમાં નથી કે તેમને ટાર્ગેટ કરવાની પણ કોંગ્રેસની મનસા નથી. પરંતુ  જે પ્રદેશની શાંતિભંગ કરશે, નફરત ફેલાવશે તેમની પર પ્રતિબંધ મુકાવવો જોઇએ.

આ પહૈલાં તાજેતરની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાની વાત કરી હતી, એ પછી ભાજપે આ વાતનો મુદ્દો બનાવ્યો હતો અને બજરંગ દળના પ્રતિબંધનો મુદ્દો બજરંગ બલીના અપમાન સાથે જોડ્યો હતો, જો કે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપને તેનો ફાયદો મળ્યો નહોતો.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.