સચિન પાયલટ મોટો ધડાકો કરવાની તૈયારીમાં. પિતાની જેમ જ ઇતિહાસનું પુનરાવર્તન કરશે

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં થોડા જ મહિના બાકી છે અને આ દરમિયાન કોંગ્રેસનો આંતરિક કલેશ વિભાજન સુધી પહોંચી શકે છે. એવા સમાચાર મળી રહ્યા છે બળવાખોર તેવર અપનાવી રહેલા સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે કોઈ પણ પ્રકારનો તાલમેળ બેસાડવામાં હાઇકમાન નિષ્ફળ રહ્યું છે અને હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ નવો માર્ગ નક્કી કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ, સચિન પાયલટે નક્કી કરી લીધું છે છે. સચિન પાયલટ ‘પ્રગતિશીલ કોંગ્રેસ’ નામથી નવી પાર્ટી બનાવી શકે છે. આ નવી પાર્ટીની જાહેરાત 11 જૂનના રોજ જયપુરમાં કરવામાં આવશે.

આ દિવસે સચિન પાયલટના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ પણ છે. કોંગ્રેસ હાઇકમાને ગત દિવસોમાં દિલ્હી બોલાવીને અશોક ગહલોત અને સચિન પાયલટ સાથે મુલાકાત કરી હતી. ત્યારે કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો હતો કે, સચિન પાયલટ અને અશોક ગેહલોત સાથે કામ કરશે. એમ પણ કહેવામાં આવ્યું કે, ફોર્મ્યૂલા હેઠળ સચિન પાયલટને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સચિન પાયલટ કેમ્પ તરફથી એવા સમાચારોનું ખંડન કરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું કે, તેઓ પોતાના મુદ્દાઓ પર અડગ છે.

હવે ચર્ચા છે કે સચિન પાયલટ 11 જૂનના રોજ જયપુરમાં એક રેલી કરશે અને હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે. જો સચિન પાયલટ નવી પાર્ટી બનાવે છે તો એ વાત પર પણ નજર હશે કે કોંગ્રેસના કેટલા ધારાસભ્ય તેમની સાથે જાય છે? એ સિવાય અશોક ગેહલોતની સરકાર સામે કોઈ જોખમ ઉત્પન્ન થશે કે નહીં? આ અગાઉ વર્ષ 2020માં પણ જ્યારે સચિન પાયલટે બળવાખોર તેવર અપનાવ્યાં હતા તો તેમની સાથે 19 ધારાસભ્ય હતા.

માનવામાં આવી રહ્યું છે કે, આ વખત પણ ઘણા લોકો તેમની સાથે રહી શકે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકી રહેલા સચિન પાયલટે પોતાની જ સરકાર પર ઘણા આરોપ લગાવ્યા છે, જેમાંથી એક એ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વસુંધરા સરકાર દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવવામાં આવી નથી.

આ આરોપોને લઈને સચિન પાયલટે 11 માર્ચના રોજ યાત્રા પણ શરૂ કરી હતી. 125 કિલોમીટરની અજમેરથી જયપુરની યાત્રા દરમિયાન સચિન પાયલટે 15 દિવસોની ડેડલાઇન પણ આપી હતી, પરંતુ બંને પક્ષો વચ્ચે વાત ન બની શકી. સચિન પાયલટનું કહેવું હતું કે, જો તેમની માગ સ્વીકાર ન કરવામાં આવી તો આખા રાજ્યમાં આંદોલન કરશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.