શાહરૂખ બેશરમ છે,પાકિસ્તાન જવું જોઈએ.. પઠાણને લઈને ગુસ્સે થયા ચિન્મયાનંદ

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ 'પઠાણ'નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. લોકો આ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. હવે કથાકારો પણ ફિલ્મ 'પઠાણ' સામે આવ્યા છે. ચિન્મયાનંદે ફિલ્મ 'પઠાણ'ને લઈને શાહરૂખ ખાનની ઝાટકણી કાઢી છે. ચિન્મયાનંદે કહ્યું કે, 'પઠાણ' ફિલ્મમાં ભગવા રંગનું અપમાન કરવામાં આવ્યું છે. અપશબ્દો કહ્યા છે. હું કહેવા માંગુ છું, તમે જે દેશમાં રહો છો, આ દેશના ત્રિરંગામાં પણ ભગવો રંગ છે. કેસરી રંગ આપણા દેશનું ગૌરવ છે. તિરંગામાં પહેલો રંગ કેસરી છે. આ ભગવા રંગને બેશરમ કહેવો ખૂબ જ દુઃખદ છે. હું આખા દેશને અપીલ કરું છું કે, આ ફિલ્મનો ઉગ્ર વિરોધ થવો જોઈએ.

ચિન્મયાનંદે સેન્સર બોર્ડ પાસે ફિલ્મ 'પઠાણ' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, 'પઠાણ' ફિલ્મે સંત સમાજથી લઈને દરેક દેશભક્તની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આવી સ્થિતિમાં સેન્સર બોર્ડે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

ચિન્મયાનંદ બાપુએ કહ્યું કે, બોલિવુડમાં આવી ઘણી ટીમો છે, જે હિંદુ વિરોધી ગતિવિધિઓ ચલાવે છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પણ આવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. ફિલ્મમાં દીપિકાએ જે અભિનય કર્યો છે તે અશ્લીલતાથી ભરેલો છે. આ સાથે ગીતમાં કેસરી રંગને બેશરમ ગણાવવામાં આવ્યો છે. તેણે કહ્યું કે, બીજી વાત એ છે કે શાહરૂખ ખાન આપણા દેશનો વિરોધી રહ્યો છે, જ્યારે પણ આપણા દેશને જરૂર પડે છે ત્યારે તે ચેરિટી માટે પાકિસ્તાન જાય છે. તે ત્યાં બાળકો માટે કામ કરે છે. શાહરૂખ ખાને ક્યારેય ભારત માટે કામ કર્યું નથી.

ખંડવામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ચિન્મયાનંદે શાહરૂખ ખાન પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જ્યારે ફિલ્મ આવે છે ત્યારે શાહરૂખ ખાન હિન્દુ મંદિરમાં જઈને ખોટો ઢોંગ કરે છે. હું યુવાનો અને દેશના લોકોને અપીલ કરું છું કે, તેઓ આવી છેતરપિંડીથી બચે. કેસરી રંગને બેશરમ કહેનાર શાહરૂખ ખાન પોતે બેશરમ છે. પહેલા શાહરૂખ ખાન કહેતો હતો કે 'BJPની સરકાર કેન્દ્રમાં આવશે તો હું ભારત છોડી દઈશ', હું પૂછવા માંગુ છું કે, તમે ભારત કેમ ન છોડ્યું. તમારે પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.