5 બાળકોની માતાએ 9મા ધોરણમાં ભણતા છોકરા સાથે કર્યુ શરમજનક કૃત્ય

મહિલાઓ સાથે બળાત્કારની ઘણા સમાચારો સામે આવે છે, પરંતુ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં કંઈક વિપરીત બન્યું છે. અહીં એક પાંચ બાળકોની માતાએ નવમા ધોરણના વિદ્યાર્થી પર બળાત્કાર ગુજાર્યો છે. આરોપી મહિલાએ આ ઘટના માટે આ વર્ષના એપ્રિલ મહિનામાં પીડિત વિદ્યાર્થીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને તેનું અપહરણ કર્યું હતું. પીડિત વિદ્યાર્થીના પિતાએ તે જ સમયે પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. હવે કોર્ટના આદેશ પર પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને પીડિતને મુક્ત કરાવ્યો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

આ મામલો ચિત્રકૂટના રાજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પીડિતના પિતાએ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે તેમનો પુત્ર માત્ર 14 વર્ષનો છે અને નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. આરોપી મહિલા તેમની પડોશમાં જ રહે છે. તે પરિણીત છે અને 5 બાળકોની માતા છે. તેણે જણાવ્યું કે આરોપી મહિલાએ તેના પુત્રને પ્રેમજાળમાં ફસાવીને તેને ફસાવી દીધો અને આ વર્ષે 18 એપ્રિલે તેની સાથે ભાગી ગઈ. તેણે કોર્ટને કહ્યું કે તેણે તરત જ પોલીસને ફરિયાદ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી તો દૂર, પોલીસે તેની ફરિયાદ પણ લીધી ન હતી. મજબૂરીમાં તેમને ન્યાય માટે કોર્ટના દ્વાર ખટખટાવવા પડ્યા. હવે કોર્ટના આદેશથી રાજાપુર પોલીસ સ્ટેશનની પોલીસે ગુનો નોંધ્યો છે.

કોર્ટના આદેશ પર પોલીસે કેસ નોંધીને દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી અને તેના ઠેકાણામાંથી પીડિત વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો. પોલીસે પીડિત વિદ્યાર્થીનું મેડિકલ કરાવ્યા બાદ આરોપી મહિલા વિરુદ્ધ બળાત્કાર, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

પોલીસ પૂછપરછમાં પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે મહિલાએ તેને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. તે અવારનવાર તેની સાથે અશ્લીલ હરકતો કરતી હતી. તેલે એક દિવસ તેનું અપહરણ કર્યું અને તેને પ્રયાગરાજ લઈ ગઈ. જ્યાં આરોપી મહિલાએ એક ભાડાનું મકાન લીધું અને તેને રોજ કોઈ નશીલા પદાર્થ ખવડાવીને તેની સાથે તેની હવસ શાંત કરતી હતી. પીડિતે જણાવ્યું કે તેણે ઘણી વખત વિરોધ પણ કર્યો, પરંતુ મહિલાએ તેને ઠપકો આપીને ચુપ કરાવી દીધો.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.