કર્ણાટકમાં મુખ્યમંત્રી બનાવવા માટે કોંગ્રેસ બનાવી રહી છે આ રણનીતિ

કર્ણાટકમાં કોંગ્રસની મોટી જીત બાદ હવે મુખ્યમંત્રીના ચહેરાને લઈને ચર્ચા ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમારનું નામ આ પદ માટે ચર્ચામાં છે. સવાલ એ છે કે શું પ્રચંડ બહુમત સાથે ચૂંટણી જીત્યા બાદ હવે કોંગ્રેસ આ પડકારને સરળતાથી પહોંચી વળશે? એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાના સહયોગીનું કહેવું છે કે, સિદ્ધારમૈયાને શરૂઆતી 2 વર્ષ માટે મુખ્યમંત્રી બનાવી શકાય છે, જ્યારે ત્યારબાદનો કાર્યકાળ ડી.કે. શિવકુમાર સંભાળશે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસને આ જીતના આધાર પર વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની પણ યોજના પણ બનાવવાની છે, એટલે કોઈ પણ નેતાને અલગ કરવા બરાબર નહીં હોય. ડી.કે. શિવકુમાર સાથે જૂના મૈસૂર ક્ષેત્રમાં કોંગ્રેસના શાનદાર પ્રદર્શનનો શ્રેય લેવાની આશા રાખી શકાય છે. એ વિસ્તારમાં કોંગ્રેસ શાનદાર પ્રદર્શન કરતા 30 સીટો પર જીત મેળવી છે. એક ખાસ વાત ડી.કે. શિવકુમારના વોંક્કાલિગા સમુદાયથી આવવા સાથે જોડાયેલી છે. આ જાતિ મુખ્ય રૂપે દક્ષિણ કર્ણાટકમાં કેન્દ્રિત છે અને રાજ્યની વસ્તીનો લગભગ 15 ટકા છે.

પૂર્વ મંત્રી એચ.ડી. દેવગૌડા અને તેમના પુત્ર JD(S)ના એચ.ડી. કુમારસ્વામીનો આ જાતિમાં એક વફાદાર વોટ આધાર રહ્યો છે. હવે ચર્ચા છે કે આ જ જાતિના વધુ એક મુખ્યમંત્રી એટલે કે ડી.કે. શિવકુમાર બની શકે છે. જ્યારે ડી.કે. શિવકમારે વોંક્કાલિગા કાર્ડ ખેલ્યાના તુરંત બાદ કુમારસ્વામીએ પલટવાર કર્યો કે કોંગ્રેસમાં રહેતા તેમનું મુખ્યમંત્રી બનવું અસંભવ હતું. ચૂંટણી અભિયાન દરમિયાન ડી.કે. શિવકુમાર અને સિદ્ધારમૈયા બંનેએ વારંવાર ભાર આપીને કહ્યું કે, મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય ચૂંટણી બાદ જ થશે અને એ કે પાર્ટી નેતૃત્વ અને ચૂંટાયેલ ધારાસભ્ય નક્કી કરશે.

કર્ણાટકમાં એક દલિતને મુખ્યમંત્રી બનાવવાની માગ લાંબા સમયથી ચાલતી આવી રહી છે અને જ્યારે સાર્વજનિક મંચો પર રાજનૈતિક પાર્ટીઓ દ્વારા તેના પર બહેસ કરવામાં આવી છે, પરંતુ એ ક્યારેય સફળ થયું નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે કે તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર હોય શકે છે અને તેઓ દલિત પણ છે. શિવકુમારના નામ પર કોંગ્રેસ માટે એક મોટી ચિંતા તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કે છે, જેમાં 8 કરોડ રૂપિયાથી વધુ મની લોન્ડ્રિંગના આરોપમાં EDની ચાર્જશીટ અને આવકથી વધારે સંપત્તિની CBI તપાસ સામેલ છે. વર્ષ 2017માં શિવકુમાર અને તેમના સહયોગીઓ પર 300 કરોડ રૂપિયાની વધુની કર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જ્યારે શિવકુમાર પોતાના પર 34 કરોડ રૂપિયાની ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.