ભારતનું એવું રેલવે સ્ટેશન, જ્યાંથી પગપાળા જ વિદેશ જઇ શકાય છે

દેશમાં એવા ઘણા રેલવે સ્ટેશન છે, જે પોતાની ઘણી વિશેષતાઓ માટે જાણીતા છે. કોઈ રેલવે સ્ટેશન પોતાના સૌથી મોટા પ્લેટફોર્મ માટે પ્રસિદ્ધ છે, તો કેટલાક રેલવે એવા છે જે પોતાની સ્વચ્છતા માટે આખી દુનિયામાં ફેમસ છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રેલનું અંતિમ રેલવે સ્ટેશન કયું છે. આમ તો તેની બાબતે ક્યારેય કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ કેટલાક એવા સ્ટેશન છે જે દેશના એકદમ અંતિમ છેવાડે ઉપસ્થિત છે. જ્યાંથી તમે ખૂબ સરળતાથી વિદેશ યાત્રા કરી શકો છો.

હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે એવું કયું રેલવે સ્ટેશન છે, જ્યાંથી પગપાળા પણ બીજા દેશ સુધી પહોંચી શકાય છે. બિહારમાં એક એવું રેલવે સ્ટેશન છે, જે નેપાળથી ખૂબ નજીક છે. મતલબ અહીથી ઉતરીને તમે પગપાળા પણ તરત જ ટ્રીપ કરી શકો છો.  આ રેલવે સ્ટેશન બિહારના અરરિયા જિલ્લામાં સ્થિત છે. અરરિયા જિલ્લામાં સ્થિત આ રેલવે સ્ટેશનનું નામ જોગબની સ્ટેશન છે, જેને દેશના અંતિમ સ્ટેશનના રૂપમાં જોવામાં આવે છે.

અહીથી નેપાળની દૂરી નજીવી રહી જાય છે. આ દેશ અહીથી એટલો નજીક પડે છે કે લોકો પગપાળા પણ પહોંચી શકે છે. સારી વાત તો એ છે કે નેપાળ જવા માટે ભારતના લોકોને વિઝા કે પાસપોર્ટની પણ જરૂરિયાત હોતી નથી. એટલું જ નહીં, આ સ્ટેશનથી તમે પોતાના હવાઈ જહાજનો ખર્ચ પણ બચાવી શકો છો.

પશ્ચિમ બંગાળની સિંહાબાદ સ્ટેશન પણ દેશનું અંતિમ સ્ટેશન માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં જ્યાંથી દેશની સમુદ્રી સીમા શરૂ થાય છે, ત્યારનું એક સ્ટેશન પણ દેશનું અંતિમ સ્ટેશન કહેવામાં આવે છે.પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં બનેલા સિંહાબાદ સ્ટેશન ભારતનું અંતિમ સીમાંત સ્ટેશન છે. કોઈ સમયમાં આ સ્ટેશન કોલકાતા અને ઢાકા વચ્ચે સંપર્ક સ્થાપિત કરે છે. અહીથી ઘણા યાત્રી ટ્રેનથી થઈને પસાર થાય છે, પરંતુ આજના સમયમાં આ સ્ટેશન એકદમ વિરાન છે. અહી કોઈ પણ યાત્રી માટે કોઈ ટ્રેન રોકાતી નથી, આ જ કારણે આ જગ્યા એકદમ વિરાન રહે છે. આ રેલવે સ્ટેશનનો ઉપયોગ માત્ર માલગાડીઓના ટ્રાન્ઝિટ માટે હોય છે.

સિંહાબાદ રેલવે સ્ટેશન આજે પણ અંગ્રેજોના સમયનું છે. અહી આજે પણ તમને કાર્ડબોર્ડની ટિકિટ નજરે પડશે, જે હવે કોઈ પણ રેલવે સ્ટેશન પર નજરે પડતી નથી. એ સિવાય સિગ્નલ, સંચાર અને સ્ટેશન સાથે જોડાયેલા બધા ઉપકરણ, ટેલિફોન અને ટિકિટ પણ બધુ અંગ્રેજોના સમયના સમયના છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.