રેપની ઘટનાઓ માટે પોર્ન સાઇટ જવાબદાર, શરિયત કાયદો લાગૂ કરો: એસટી હસન

ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ ડૉ. એસટી હસને બળાત્કારની ઘટનાઓને માટે સોશિયલ મીડિયા અને પોર્ન સાઇટોને જવાબદાર ઠેરવી છે. તેમણે શનિવારે (30 સપ્ટેમ્બરના રોજ) કહ્યું કે, પોર્ન સાઇટોને સખ્તાઈથી બંધ કરી દેવી જોઈએ કેમ કે યુવાન છોકરા, છોકરીઓ પોર્ન અને ગંદી ફિલ્મો જુએ છે તો તેમના શરીરની અંદર એક વિશેષ પ્રકારના હોર્મોન્સ બને છે જે તેમને બળાત્કાર કરવા માટે મજબૂર બનાવે છે.

તેમણે કહ્યું કે, જ્યારે 4 યુવાન છોકરા ખેતરની અંદર પોર્ન સાઇટ જુએ છે અને કોઈ ભૂલી પડેલી કે એકલી મહિલા કે છોકરી તેમની આગળથી જાય છે તો તેઓ ગુનાહિત ઘટનાને અંજામ આપી દે છે એટલે પોર્ન સાઇટો પર રોક લાગવી જોઈએ. સમાજવાદી પાર્ટીના સાંસદે દેશમાં બળાત્કારની ઘટનાઓને રોકવા માટે શરિયત કાયદાને લાગૂ કરવાની માગ પણ કરી. તેમણે કહ્યું કે, એવી ઘટનાઓમાં ઇસ્લામી કાયદા મુજબ સજા આપવી જોઈએ જેથી એવી ઘટનાઓ રોકાઈ જાય.

સમાજવાદી પાર્ટીના સાંસદે કહ્યું કે, જો હું શરિયત કાયદાની માગ કરીશ તો ઇસ્લામો ફોબિયાવાળા લોકો ઊછળી પડશે. એક ઉદાહરણ દુનિયા સામે છે સાઉદી અરબ. ત્યાં હત્યા કેમ થતી નથી, રેપ કેમ થતા નથી, ત્યાં કેમ ચોરીઓ થતી નથી કેમ કે ત્યાં શરિયતનો સખત કાયદો લાગૂ છે. તેમણે કહ્યું કે, ભારતમાં લોકો કાયદાનો દુરુપયોગ કરે છે. કાયદો લચીલો ન હોવો જોઈએ, પરંતુ કાયદો સખત હોવો જોઈએ, પરંતુ તેનો દુરુપયોગ ન થાય. રેપની કલમ 376નો દેશમાં ખૂબ દુરુપયોગ થઈ રહ્યો છે.

કયા પ્રકારે લોકો એક બીજાને ફસાવવા માટે પોતાની બહેન-દીકરીઓ પાસેથી ખોટા આરોપ લગાવીને આ કલમનો દુરુપયોગ કરી રહ્યા છે. આખા ભારતમાં ઇસ્લામ અને મુસ્લિમ વિરુદ્ધ રાજનીતિ થઈ રહી છે. તમે જુઓ બહુજન સમાજ પાર્ટી (BSP) સાંસદ સાથે અભદ્રતા કરનારા ભાજપના સાંસદ (રમેશ બિધુડી)નું કદ હજુ મોટું કરી દેવામાં આવ્યું. બની શકે છે આગળ તેમને મંત્રી પણ બનાવી દેવામાં આવે. મહિલા અનામત બિલ પર RJD નેતા અબ્દુલ બારી સિદ્દિકીના કથિત નિવેદન પર એસટી હસને કહ્યું કે હું તેમની ટિપ્પણીથી સહમત નથી.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.