જ્ઞાનવાપીને મસ્જિદ કહેવાનું બંધ કરો, તે ભગવાન શિવનું મંદિર છે:ધીરેન્દ્ર શાસ્ત્રી

બાબા બાગેશ્વર હાલમાં છિંદવાડામાં કથા-વાચન કરી રહ્યા છે. તેમણે જ્ઞાનવાપી કેસમાં મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, જ્ઞાનવાપી એ મસ્જિદ નથી, આવું કહેવાનું બંધ કરો. જ્ઞાનવાપી ભગવાન શંકરનું મંદિર છે. એ જ રીતે, બાબા બાગેશ્વરે નૂહ હિંસા પર પણ કહ્યું, 'આ દેશની કમનસીબી છે કે સનાતની હિંદુઓ આ પ્રકારનું કામ જોઈ રહ્યા છે અને તે થઈ રહ્યું છે, તેથી જ, હવે ઊંઘમાંથી જાગો.'

હકીકતમાં જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને જ્ઞાનવાપી પર ચાલી રહેલા સર્વે વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'જ્ઞાનવાપી એ મસ્જિદ નથી. સૌ પ્રથમ તો એ કહેવાનું બંધ કરો. જ્ઞાનવાપી ભગવાન શંકરનું મંદિર છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની વાત સાંભળીને UPના CM યોગી આદિત્યનાથના શબ્દો યાદ આવ્યા. CM યોગી આદિત્યનાથે હાલમાં જ જ્ઞાનવાપીને મસ્જિદ કહેવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

કમલનાથના ગઢ છિંદવાડામાં કમલનાથ અને નકુલ નાથ દ્વારા આયોજિત કરવામાં આવી રહેલી કથા અંગે બાગેશ્વર બાબાએ કહ્યું કે, 'છિંદવાડામાં આવીને આનંદ થયો, અમે હંમેશા દરેક જગ્યાએ જઈએ છીએ. સનાતન દરેકનું છે, અમે કોઈ રાજકીય વ્યક્તિ નથી, અમને તેનાથી દૂર જ રાખવા જોઈએ. આપણે જ્ઞાતિ પ્રથાને ખતમ કરીને બધાને સાથે લાવીશું. અમને રાજકારણથી દૂર જ રાખવા જોઈએ, કમલનાથજી ધામમાં પણ ગયા હતા, અમારા માટે બધા સમાન છે, આખી દુનિયા સમાન છે. જે બાલાજીના છે તે અમારા છે, જે અમારા રામના છે તે અમારા છે, અમારો સંકલ્પ પૂરો થઇ રહ્યો છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તેઓ પહેલેથી જ ખુલ્લેઆમ બોલી ચૂક્યા છે કે તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. તેઓ આ દિશામાં કામ પણ કરી રહ્યા છે.

કથા વાંચન માટે છિંદવાડા પહોંચેલા બાબા બાગેશ્વર પૂર્વ CM કમલનાથના બંગલે પણ ગયા હતા. જ્યારે, કમલનાથ તેમના પરિવાર સાથે બાબા બાગેશ્વરના કથા મંચ પર પહોંચ્યા હતા. ચૂંટણી વર્ષમાં કમલનાથે બાગેશ્વર બાબાના મંચ પર બાગેશ્વર ધામની કથાનું આયોજન કરીને એક સાથે અનેક નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં જ કોંગ્રેસે બે કમિટીની જાહેરાત કરી છે, જેમાં કમલનાથની સાથે નકુલનાથને પણ સ્થાન મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કમલનાથ હવે ખુલ્લેઆમ પોતાના પુત્રને પ્રમોટ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.