ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ગયેલો શિક્ષક પતિ ગાયબ, 4 મહિનાથી પત્ની શોધી રહી છે

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં હાજરી આપવા ગયેલા બિહારના શિક્ષક 4 મહિનાથી ગાયબ છે અને તેમની પત્ની શોધખોળ કરી રહી છે, પરંતુ શિક્ષક પતિનો હજુ સુધી કોઇ અતોપતો લાગ્યો નથી.

બાગેશ્વર ધામના બાબાના દરબારથી પરત ફરેલી એક મહિલાએ મોટો આરોપ લગાવ્યો છે. તેણીનું કહેવું છે કે તેના શિક્ષક પતિ લાલન કુમાર 4 મહિના પહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ગયા હતા પરંતુ આજ સુધી પરત આવ્યા નથી. ઘણી શોધ કરી પણ હજુ સુધી મળ્યા નથી.જ્યારે ખબર પડી કે બાગેશ્વબર બાબા પટના આવી રહ્યા છે તો પત્ની પોતાની નણંદ રીતા દેવી સાથે બાબાના દરબારમાં પતિના ગુમ થયાની ફરિયાદ કરવા માટે ગઇ હતી, પરંતુ કોઇ ફાયદો થયો નહીં. મહિલાની મુલાકાત બાબા સાથે કરવા દેવામા જ ન આવી. શિક્ષક પતિ દરભંગાના બઘૌની ગામનો રહેવાસી છે.

હવે  36 વર્ષના લલન કુમારની પત્ની સવિતા કુમારીએ બિહાર સરકારના મંત્રી અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની મદદ માંગી છે કે બાગેશ્વરના બાબાના દરબારમાંથી લોકો કેમ ગાયબ થઈ રહ્યા છે. મારા પતિ તેમને મળવા મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામ ગયા હતા. 6 ફેબ્રુઆરીએ જ 10 વાગ્યા પછી તેમનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો. ફોન બંધ કરતા પહેલા પતિએ કહ્યું હતું કે તેણે બાબાના દર્શન કર્યા છે અને બે દિવસમાં ઘરે પરત આવી જશે.સવિતાએ કહ્યું કે ત્યારથી પતિની રાહ જોઇ રહી છુ, પરંતુ તેઓ હજુ સુધી ઘરે પરત ફર્યા નથી.

સવિતાએ કહ્યું કે હું બાબાના દરબારમાં પહોંચેલા તમામ લોકોને અપીલ કરું છું કે બાબાને પૂછો કે મારા પતિ ક્યાં ગાયબ થઈ ગયા છે. તમે મારા સિંદૂરનું રક્ષણ કરો. આટલા બધા લોકો જે તેના દરબારમાંથી ગાયબ થઈ રહ્યા છે, તેઓ કેમ મળી રહ્યા નથી. મધ્યપ્રદેશના બરીથા પોલીસ સ્ટેશનના રિપોર્ટ અનુસાર, 1 જાન્યુઆરીથી બાબાના દરબારમાંથી 40 લોકો ગુમ થયા છે. જેમાંથી 28 લોકો મળી આવ્યા છે.

એવું શું ષડયંત્ર રચાઇ રહ્યું છે કે લોકો ગાયબ થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશ સરકારને મારી વિનંતી છે કે એની તપાસ કરવામાં આવે કે લોકો કેમ ગાયબ થઇ રહ્યા છે. સવિતાએ આરોપ લગાવ્યો કે પટનાનામાં બાબના દરબારમાં અમે 4 વખત મળવા ગયા, પરંતુ અમારી વાત કોઇએ સાંભળી નહીં અને બાબાની મુલાકાત પણ થઇ નહીં.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.