BJPએ મને ખરીદવાનો પ્રયાસ કર્યો, AAPના MLA સદનમાં લહેરાવ્યા નોટોના બંડલ

છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. પરંતુ આજે દિલ્હી વિધાનસભામાં એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. AAP ધારાસભ્ય મોહિન્દર ગોયલે અચાનક ગૃહમાં 15 લાખની નોટોના બંડલ લહેરાવવાનું શરૂ કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે BJPએ તેમને ખરીદવાનો પ્રયાસ કર્યો અને તેમને આ પૈસા ટોકન મનીના રૂપમાં મળ્યા. બીજી તરફ BJPએ AAP પર પ્રહારો કર્યા છે. પાર્ટીનો આરોપ છે કે AAP નવું ડ્રામા કરી રહી છે. BJPના પ્રવક્તા હરીશ ખન્નાએ કહ્યું કે, લાંચ આપ્યાનું સ્ટિંગ અને તેની ફરિયાદની નકલ AAP ધારાસભ્યએ બતાવવી જોઈએ.

દિલ્હી વિધાનસભામાં આજે સતત ત્રીજા દિવસે હંગામો જોવા મળ્યો હતો. આ દરમિયાન AAP ધારાસભ્ય મોહિન્દર ગોયલે BJP પર લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે મને આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવા માટે લાંચ આપવામાં આવી હતી. ગોયલે કહ્યું, 'મને માફિયા સેન્ટિંગ માટે પૈસા આપવામાં આવ્યા હતા. આ બાબતે મેં LGને પણ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈએ કોઈ કાર્યવાહી કરી ન હતી.'

AAP ધારાસભ્યએ કહ્યું કે, 'મેં આ અંગે પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી છે. આ એક ગંભીર મુદ્દો છે. હું ગુનેગારોને રંગે હાથે પકડવા માંગતો હતો. પરંતુ કોઈએ મારી વાત સાંભળી ન હતી અને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.'

AAP ધારાસભ્યના આરોપો બાદ વિધાનસભાના સ્પીકરે કહ્યું કે, 'તમે LG અને દિલ્હી પોલીસ કમિશનરને જે ફરિયાદ આપી હતી તેની નકલ અને ઘટનાનું વિવરણ મને આપો. આ પછી, AAP ધારાસભ્યએ કહ્યું કે, 'હું ગૃહના તમામ સાથીઓને અપીલ કરું છું કે આ મામલે રાજનીતિ ન કરો. આ જાહેર મુદ્દો છે જે હું ગૃહ સમક્ષ ઉઠાવી રહ્યો છું.'

BJPના પ્રવક્તા હરીશ ખન્નાએ ગોયલના આરોપોને વાસ્તવિક મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, 'AAPએ આજે એક નવું નાટક રચ્યું છે. BJPના નેતાએ કહ્યું કે, જો AAP નેતાએ કોઈ ફરિયાદ કરી છે તો તેની નકલ ક્યાં છે? તમે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા? તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ છે અને તેની તપાસ ચાલી રહી છે. LG દ્વારા આપવામાં આવેલા આદેશો પછી, AAP વ્યક્તિગત ભડાસ નીકાળવામાં વ્યસ્ત છે. કોઈપણ 15 લાખ રોકડા લઈને પહોંચી શકે છે, જે સ્ટિંગ કર્યું છે તેને બતાવો કે તે ક્યાં છે. ડીલ કરતી વખતે ઉતારેલો વિડીયો બતાવી દો. તેમણે કહ્યું કે, આંબેડકર હોસ્પિટલ તો દિલ્હી સરકારના અંદરમાં છે.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

મહારાષ્ટ્રના રમતગમત મંત્રીએ જ મોટી 'ગેમ' રમી. નામ-માણિકરાવ કોકાટે, પક્ષ-DyCM અજિત પવારની NCP, આ કેસ ત્રણ...
National 
મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

હાલમાં PM નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે છે. જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત લીધા પછી, તેઓ હવે ઓમાન પહોંચ્યા છે. ...
Education 
ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

સુરત શહેર હવે નકલી વસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી નકલી ઘી, નકલી પાન-મસાલાઓની...
Gujarat 
બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.