મુખ્ય ચૂંટણી કમિશ્નરે કેમ કહ્યું કે- ચૂંટણી પંચ દર વખતે અગ્નિ પરીક્ષા આપે છે

ચૂંટણી પંચ પર હંમેશા એવા આરોપો લાગતા રહે છે કે પંચ નિષ્પક્ષતાથી ચૂંટણી કરાવી શકતું નથી. આ વિશે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કર્ણાટકમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાત કરી છે.

ભારતની ચીફ ઇલેકશન કમિશ્નર રાજીવ કુમારે કહ્યું કે, ભારતના ચૂંટણી પંચે દરેક ચૂંટણી પછી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ 400 વિધાનસભા ચૂંટણી,17 સંસદીય, 16 રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરાવ્યા પછી પણ દરેક વખતે અગ્નિ પરીક્ષા આપે છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર કર્ણાટકમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા બાબતે એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી રહ્યા હતા. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે ચૂંટણી પંચે દરેક વખતે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે.

રાજીવ કુમારે કહ્યું, છેલ્લા 70 વર્ષોમાં, ભારતે તેના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ભૌગોલિક, આર્થિક, ભાષાકીય મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે અને સંવાદ દ્વારા સ્થિર કર્યા છે કારણ કે મુખ્યત્વે સ્થાપિત લોકશાહી છે. આ શક્ય છે કારણ કે લોકો ચૂંટણીના પરિણામો પર વિશ્વાસ કરે છે. તેમ છતાં ચૂંટણી પંચ દરેક ચૂંટણી પછી અગ્નિપરીક્ષા આપે છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની તૈયારીઓની જાણકારી મેળવવા માટે બેંગલુરુ ગયા હતા. પોતાની મુલાકાત દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે આવનારી ચૂંટણીમાં 80 વર્ષથી ઉપરની લોકો અને દિવ્યાંગજન ઘરેથી જ પોતાનો મત આપી શકશે. રાજીવ કુમારે કહ્યું કે, આવા મતદારો વોટ ફ્રોમ હોમ કરી શકે તેના માટે એક 12 D ફોર્મ આપવામાં આવશે.

રાજીવ કુમારે કહ્યું, પ્રથમ વખત, અમે કર્ણાટકમાં તમામ 80 પ્લસ અને પર્સન વિથ ડિસેબિલિટી (PwD) મતદારોને સુવિધા આપવા જઈ રહ્યા છીએ. જો તેઓ ઈચ્છે તો તેમના ઘરેથી પણ મતદાન કરી શકે છે. ત્યાં એક ફોર્મ 12D છે જે સૂચનાના પાંચ દિવસની અંદર ઉપલબ્ધ થશે, કોઈપણ 80 પ્લસ અથવા PWD મતદાર કે જેઓ ઘરેથી મતદાન કરવા માંગે છે તેમની સુવિધા આપી શકાય.

રાજીવ કુમારે કહ્યું છે કે કર્ણાટક વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થશે અને તે પહેલા ચૂંટણી યોજાશે. ચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણી પંચ પર નિષ્પક્ષ ન હોવાનો આરોપ લાગતા રહે છે. એવું કહેવામાં આવે છે કે ચૂંટણી પંચ સત્તાધારી પક્ષના ઈશારે કામ કરે છે. આ આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા રજૂ કરી છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.