રાહ જોતા રહ્યા ગવર્નર અને ફ્લાઈટ તેમને લીધા વગર ઉડી ગઈ, કંપનીની તપાસ શરૂ

એરએશિયાની ફ્લાઇટ કર્ણાટકના ગવર્નરને લીધા વગર જ ઉડી ગઈ હતી. પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને, એરએશિયાની ફ્લાઈટ ગુરુવારે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોતને લીધા વગર ઉડાન ભરી હતી. એરલાઈન્સે ગવર્નરના મોડા આવવાનો ઉલ્લેખ કર્યો, જ્યારે તેઓ એરપોર્ટના જ લોન્જમાં રાહ જોઈ રહ્યા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી.

નામ ન આપવાની શરતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યપાલના પ્રોટોકોલ અધિકારીઓએ આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત ગુરુવારે બપોરે ટર્મિનલ-2થી હૈદરાબાદની ફ્લાઈટમાં સવાર થવાના હતા, જ્યાંથી તેઓ એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રોડ માર્ગે રાયચુર જવાના હતા. સૂત્રોએ જણાવ્યું કે એરએશિયાની ફ્લાઈટ ત્યાં પહોંચતા જ તેમનો સામાન પ્લેનમાં મૂકી દેવામાં આવ્યો હતો, પરંતુ ગવર્નર ગેહલોત માટે કહેવામાં આવ્યું હતું કે, તેમને ટર્મિનલ પહોંચવામાં વિલંબ થશે.

સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યપાલ ફ્લાઇટમાં બેસવા માટે VIP લોન્જમાંથી ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો પ્લેન હૈદરાબાદ માટે ટેકઓફ કરી ચૂક્યું હતું. ત્યાર પછી રાજ્યપાલને હૈદરાબાદ પહોંચવા માટે 90 મિનિટ પછી બીજી ફ્લાઈટ લેવી પડી હતી. એરલાઈન્સે કહ્યું કે, તે આ ઘટના પર ખૂબ જ ખેદ વ્યક્ત કરે છે અને સંપૂર્ણ તપાસ બાદ યોગ્ય પગલાં લેશે.

એરએશિયાએ બેંગલુરુ-હૈદરાબાદ ફ્લાઇટના તેના એક પેસેન્જર, કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોત વિના ટેકઓફ કરી લીધું હોવાના મામલે તપાસ શરૂ કરી છે. રાજ્યપાલ ગેહલોત એરપોર્ટ લોન્જમાં રાહ જોઈ રહ્યા હતા અને પહેલાથી જ તેમના સામાનની તપાસ કરી ચૂક્યા હતા. પરંતુ તેઓ બોર્ડિંગ ગેટ પર પહોંચે તે પહેલા જ પ્લેન હૈદરાબાદ માટે ટેકઓફ થઇ ગયું હતું. ગવર્નરની ટીમે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને તેને પ્રોટોકોલનો ભંગ ગણાવ્યો છે.

આ ઘટના બન્યા પછી એરએશિયાએ કહ્યું કે, તે આ ઘટના પર ખૂબ જ ખેદ વ્યક્ત કરે છે. આ અંગે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એરએશિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'એરલાઇનની વરિષ્ઠ નેતૃત્વ ટીમ ગવર્નર ઓફિસના સંપર્કમાં છે. વ્યાવસાયીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને પ્રોટોકોલનું પાલન કરવા માટે અમે ચૂક કરતા નથી અને અમે ગવર્નર ઑફિસ સાથેના અમારા સંબંધોને મહત્ત્વ આપીએ છીએ.'

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.