જ્ઞાનવાપી મસ્જિદ નહીં મંદિર જ છે, અમેરિકાના મ્યુઝિયમમાં મળી આવ્યા જૂના 150 ફોટા

સુપ્રીમ કોર્ટના આદેશ પછી વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે કરવામાં આવી રહ્યો છે. આજે સર્વેનો ચોથો દિવસ છે. હિંદુ પક્ષે દાવો કર્યો છે કે, જ્ઞાનવાપી મંદિરને તોડીને મુઘલ શાસકો દ્વારા મસ્જિદ બનાવવામાં આવી હતી. હિંદુ પક્ષે કોર્ટ સમક્ષ જ્ઞાનવાપી સંકુલમાં પૂજા પાઠ કરવાની માંગણી કરી છે. હવે અમેરિકામાં જ્ઞાનવાપીમાં મંદિર હોવાના પુરાવાઓ મળ્યા છે. અમેરિકાના લોસ એન્જલસમાં ગેટ્ટી મ્યુઝિયમના ફોટોગ્રાફ વિભાગમાં જ્ઞાનવાપી મંદિરના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મ્યુઝિયમમાં રાખેલા ચિત્ર પરિચયમાં લખ્યું છે- 'જ્ઞાનવાપી છે જ્ઞાનનો કૂવો' એટલે કે જ્ઞાનવાપી- જ્ઞાનનો કૂવો. જ્ઞાનવાપીમાં મંદિર હોવાનો પુરાવો ત્યાં પ્રદર્શિત કરાયેલી તસવીરોમાં જોવા મળ્યો છે.

અમેરિકામાં પ્રદર્શિત કરાયેલી આ તસવીરો બ્રિટિશ ફોટોગ્રાફર સેમ્યુઅલ બાર્ન દ્વારા 1868માં લેવામાં આવી હતી. આ સમયે તેઓ બનારસની મુલાકાતે ભારત આવ્યા હતા. આ ચિત્ર 155 વર્ષ પહેલાની જ્ઞાનવાપીની વાસ્તવિકતા પ્રદર્શિત કરે છે. આ ચિત્રોમાં ત્રણ સુશોભિત કોતરેલા સ્તંભો આગળના ભાગે, કોતરેલી કમાનની નીચે અને કોતરેલી પ્રતિમાની સામે ઊભા છે. અન્ય એક તસ્વીરમાં બે થાંભલાની વચ્ચે સુશોભિત મૂર્તિ જોવા મળે છે અને ચિત્રમાં મૂર્તિની બરાબર ઉપર એક ઘંટ લટકતો જોવા મળે છે. આ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, દિવાલ પર બજરંગબલીની કોતરણી કરવામાં આવી છે, અનેક ઘંટ અને હિંદુ ધર્મના અન્ય પ્રતીકો તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, મ્યુઝિયમમાં સેમ્યુઅલના ભારત પ્રવાસ દરમિયાન લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ અને હરાજીમાંથી મેળવેલા 150થી વધુ ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ફોટોગ્રાફ્સમાં બનારસનો ઘાટ, આલમગીરી મસ્જિદ સહીત અનેક મંદિરો અને જ્ઞાનવાપીની અંદર તથા બહાર બેઠેલા નંદીની અનેક તસ્વીરો ઉપસ્થિત છે. 

કાશી હિંદુ યુનિવર્સિટીના પ્રાચીન ઈતિહાસ, કલા સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગના પ્રોફેસર અશોક કુમાર સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, સેમ્યુઅલ બાર્નના ચિત્રોમાં જ્ઞાનવાપીમાં દિવાલો પર દેવી-દેવતાઓની તસવીરો, હિંદુ ધર્મના પ્રતીકો સ્પષ્ટપણે દૃશ્યમાન થયેલા જોવા મળે છે. જેના પરથી જાણવા મળે છે કે, આજે પણ મંદિરના અનેક અવશેષો, ASI સર્વેમાં જ્ઞાનવાપીની અંદરથી મળી આવશે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.