યુરિન બેગ હતી નહિ,હોસ્પિટલવાળાએ તેની જગ્યાએ દર્દીને સ્પ્રાઇટની બોટલ લગાવી દીધી

બિહારમાં આ દિવસોમાં સરકારી તંત્રના આશ્ચર્યજનક કારનામાઓ સામે આવી રહ્યા છે. પ્રથમ તો ખુરશી તોડવાના કારણે શાળામાં મુખ્ય શિક્ષકે વિદ્યાર્થીઓને એટલો માર માર્યો હતો કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જ્યારે વૈશાલીમાં એક શાળામાં શિક્ષકે 6 વિદ્યાર્થીઓને એક રૂમમાં બંધ કરી તાળું મારીને ઘરે નીકળી ગયા હતા, અને હવે જમુઈની એક સરકારી હોસ્પિટલમાં પેશાબની થેલીને બદલે હોસ્પિટલના કર્મચારીઓએ દર્દીને ઠંડા પીણાની બોટલ લગાવી દીધી છે. જો કે, હાલમાં તો દરેકને ખબર છે કે, બિહારની હોસ્પિટલમાં આરોગ્ય તંત્ર ભગવાન ભરોસે ચાલી રહ્યું છે, પરંતુ આ જમુઈ સદર હોસ્પિટલમાં જે કંઈ બન્યું છે તે હાસ્યાસ્પદ પણ છે.

બિહારની એક હોસ્પિટલમાં ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. યુરિન ડ્રેનેજ બેગ ન મળવાને કારણે એક દર્દીને ઠંડા પીણાની ખાલી બોટલ લગાવવામાં આવી હતી. ત્યાર પછી ખબર પડી કે દર્દી માટે જરૂરી દવાઓ અને ઈન્જેક્શન પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. હોસ્પિટલના મેનેજરે બેદરકારી અંગે ખુલાસો કર્યો છે.

મીડિયા સૂત્રો દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલ મુજબ, આ મામલો જમુઈ જિલ્લાની સદર હોસ્પિટલ સાથે સંબંધિત છે. 7 ઓગસ્ટની રાત્રે ઝાઝા રેલવે પોલીસે અહીં એક દર્દીને બેભાન અવસ્થામાં દાખલ કર્યો હતો.

હોસ્પિટલના સ્ટાફને દર્દીને એપ્સોલીન અને ગેસનું ઈન્જેક્શન આપવા અને યુરીનલ બેગ લગાવવાની સૂચના આપવામાં આવી હતી. જો કે, હોસ્પિટલ પાસે આમાંથી કોઈ પણ વસ્તુ સ્ટોકમાં ન હતી. ત્યારબાદ સ્ટાફે દર્દીને ઠંડા પીણાની બોટલ લગાવી દીધી હતી. દર્દીને કોઈ દવા પણ આપવામાં આવી ન હતી. એવું જણાવવામાં આવે છે કે, રાત્રે હોસ્પિટલના મેનેજર રમેશ પાંડેને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. દર્દી આખી રાત દવા વગર રહ્યો.

બીજા દિવસે સવારે, જ્યારે મેનેજરને આ બાબતની જાણ થઈ, ત્યારે ભારે ઉતાવળથી એક યુરીનલ બેગ અને અન્ય જરૂરી દવાઓ મંગાવી અને દર્દીને આપવામાં આવી. મેનેજર રમેશ પાંડેએ સ્પષ્ટતામાં મીડિયા સૂત્રોને જણાવ્યું કે, મને એ જાણ ન હતી કે, હોસ્પિટલમાં યુરીનલ બેગ નથી. હોસ્પિટલના સ્ટોર ઈન્ચાર્જના પગમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે ફરજ પરના કર્મચારીઓને તેની માહિતી મળી શકી ન હતી. મને માહિતી મળતાં જ મેં માલ ઉપલબ્ધ કરાવ્યો. ભવિષ્યમાં આવી સ્થિતિ ન બને તે માટે સંબંધિત આરોગ્ય કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે.

આ સાથે મેનેજરે બેદરકારીની વાત સ્વીકારતા દાવો કર્યો હતો કે, ઘટના સમયે હાજર આરોગ્ય કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.