કેજરીવાલને 24 કલાકમાં ત્રીજો ઝટકો, સુપ્રીમ કોર્ટેમાં તત્કાળ સુનાવણી નહીં થાય

દિલ્હી શરાબ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલને છેલ્લા 24 કલાકમાં ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. પહેલો ઝટકો એ લાગ્યો કે મંગળવારે, દિલ્હી હાઈકોર્ટ ધરપકડ અને કસ્ટડીને પડકારતા અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી અને EDની ધરપકડ અને રિમાન્ડ યોગ્ય હોવાનું દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું. બીજો ઝટકો એ લાગ્યો કે લબુધવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં વકીલોની માંગણી કરતી અરજીમાં નિરાશા મળી હતી અને બુધવારે બપોરે પણ સુપ્રીમ કોર્ટ તરફથી કેજરીવાલને ઝટકાના સમાચાર સામે આવ્યા.સુપ્રીમ કોર્ટે તત્કાળ સુનાવણી કરવાની ના પાડી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે, કેજરીવાલની અરજી પર SCમાં તાત્કાલિક સુનાવણી થશે નહીં. તેઓએ આવતા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં કોઈ વિશેષ બેન્ચ નહીં હોય. આવી સ્થિતિમાં સોમવાર પહેલા સુનાવણી થવાની કોઈ શક્યતા નથી.

મંગળવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ અને કસ્ટડીને કાયદેસર ગણાવી હતી અને તેમની દલીલોને ફગાવી દેતા તેમની અરજી ફગાવી દીધી હતી. જે બાદ બુધવારે સવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વકીલોને લગતી કેજરીવાલની બીજી અરજી પણ ફગાવી દીધી હતી. આ અરજીમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વકીલોને અઠવાડિયામાં 5 વખત મળવાની માંગ કરી હતી. હાલમાં કેજરીવાલ પોતાના વકીલોને અઠવાડિયામાં માત્ર બે વાર જ મળી શકે છે.

કેજરીવાલની લીગલ ટીમે બુધવારે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મળતી માહિતી મુજબ કેજરીવાલે સુનાવણી માટે આવતા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં અરજી પર તાત્કાલિક સુનાવણી થશે નહીં. ગુરુવારે ઈદ, શુક્રવારે સ્થાનિક રજા અને પછી શનિવાર-રવિવારની રજાઓ છે. આવી સ્થિતિમાં અત્યારે ન તો સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ બેન્ચની રચના થશે અને ન તો સોમવાર પહેલા સુનાવણી થવાની કોઈ શક્યતા છે. હવે સોમવાર સુધી સુનાવણી થવાની શક્યતા નથી

EDએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. જે બાદ તેમની 10 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં 1 એપ્રિલે ટ્રાયલ કોર્ટે કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. તેઓ 10 દિવસ માટે તિહારમાં બંધ છે. જ્યારે તેની ધરપકડને 21 દિવસ થઈ ગયા છે. કેજરીવાલે તેમની ધરપકડ અને ન્યાયિક કસ્ટડીને ગેરકાયદે ગણાવી હતી અને તેને હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટે EDઅને કેજરીવાલનો પક્ષ સાંભળ્યો હતો અને 3 એપ્રિલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એ પછી દિલ્હી હાઇકોર્ટે 9 એપ્રિલે ચુકાદો આપ્યો હતો કે EDની ધરપકડ કાયદેસર છે એમ કહીને કેજરીવાલની અરજી ફગાવી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.