મારા અવાજને દબાવવાની કોશિશ: થ્રી ઈડિયટ્સના અસલી રેન્ચોનો -18 ડિગ્રીમાં ઉપવાસ

તમે આમીર ખાન અભિનીત ‘3 ઇડિયટ્સ’ ફિલ્મ જોઇ હશે. આ ફિલ્મમાં જે સાયન્ટીસનું પાત્ર આમીરે ભજવ્યું હતું તેમનું વાસ્તવિક નામ સોનમ વાંગચુક છે અને તેઓ સ્ટુડન્ટસને  વિજ્ઞાનની પદ્ધતિથી અલગ હટકે શિખવવા માટે જાણીતા છે. મેગ્સેસ એવોર્ડ મેળવાનારા વાંગચુક પર્યાવરણની જાળવણી માટે પણ જાણીતા છે. તેએ અત્યારે ઠુંઠવાતી ઠંડીમાં બરફથી છવાયેલો પહાડોની વચ્ચે 5 દિવસના ઉપવાસ કરી રહ્યા છે.

લદ્દાખના જાણીતા પર્યાવરણવિદ સોનમ વાંગચુકે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર શાસિત પ્રદેશનું તંત્ર તેમનો અવાજ દબાવવા માંગે છે. કારણ કે તેઓ પ્રદેશની પરિસ્થિતિના વિનાશ અને અસ્થિર વિકાસના વિરોધમાં 5 દિવસના લાંબા ઉપવાસ પર છે. પ્રદેશના ગંભીર પર્યાવરણીય 'શોષણ' વિશે જાગૃતિ લાવવા માટે તેમના પાંચ દિવસના ઉપવાસના ત્રીજા દિવસે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં વાંગચુકે કહ્યું કે મારો મેસેજ લોકો સુધી પહોંચતો રોકવા માટે લદ્દાખ એડમિનિસ્ટ્રેશન તેમને એક બોન્ડ પર સહી કરવા માટે મજબુર કરવાની કોશિશ કરી રહ્યું છે. જેના વિશે દાવો કરવામાં આવ્યો છે તે કોપી પણ વાંગચુકે ટ્વીટ કરી છે.

આ એ બોન્ડ છે જેમાં વાંગચુકને કહેવામાં આવ્યું છે કે તેઓ એક મહિના સુધી કોઇ પણ નિવેદન નહીં આપે અનેકોઇ પણ જાહેર બેઠકોમાં ભાગ નહીં લે.

 

બરફથી છવાયેલા પહાડોની વચ્ચે કંબલમાં લપેટાઇને સુતેલા વાંગચુકે કહ્યું કે,હું નજરકેદમાં છું. વાસ્તવમાં તે વધુ ખરાબ છે. જો તમે નજરકેદમાં છો, તો તમે દેખીતી રીતે નિયમો જાણો છો અને તેની સામે કાનૂની માર્ગો શોધી શકો છો પરંતુ અત્યારે મને મારી સંસ્થામાં રાખવામાં આવ્યો છે અને મારી ચળવળને બંધ કરી દેવામાં આવી છે. વાંગચુકે સ્ટુડન્ટસ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખની સ્થાપના કરી છે.જેના લીધે તેઓ 5 દિવસના ઉપવાસ પર છે.

 

વાંગચુક પહેલા Khardung La Passમાં ઉપવાસ કરવાની યોજના બનાવી રહ્યા હતા, જ્યા તાપમાન માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. તેમણે આરોપ લગાવ્યો કે તંત્ર તેમને ત્યાં જતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ટેગ કરીને તેમણે ટ્વિટ કર્યું, છે કે,કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ ઇચ્છે છે કે હું આ બોન્ડ પર હસ્તાક્ષર કરું ત્યારે પણ જ્યારે માત્ર ઉપવાસ અને પ્રાર્થના થઈ રહી હોય. કૃપા કરીને સલાહ આપો, તે કેટલું યોગ્ય છે? શું મારે ચૂપ રહેવું જોઈએ? ધરપકડથી મને કોઇ ફરક પડતો નથી.

સોનમ વાંગચુક વર્ષ 2018માં પ્રતિષ્ઠીત મેગ્સેસ એવોર્ડ મેળવી ચૂક્યા છે. એમના કેરેકટરથી પ્રભાવિત થઇને કાલ્પનિક પાત્ર ફુંગસુંક બાંગડુની કલ્પના કરવામાં આવી હતી જેનું પાત્ર વર્ષ 2009ની બોલિવુડ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’માં અભિનેતા આમીર ખાને નિભાવ્યું હતું.

વાંગચુકે કહ્યું કે,નિવારક પગલાં વિના, લદ્દાખનો અસ્થિર ઉદ્યોગ, પર્યટન અને વાણિજ્ય લદ્દાખમાં સતત વિકાસ પામશે અને આખરે આ પ્રદેશનો નાશ કરશે. તેમણે કહ્યું, કાશ્મીર યુનિવર્સિટી અને અન્ય સંશોધન સંસ્થાઓના તાજેતરના અભ્યાસોએ તારણ કાઢ્યું છે કે જો યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો લેહ-લદ્દાખમાં બે તૃતીયાંશ ગ્લેશિયલ એટલે કે હિમશીલા ખતમ થઇ જશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.