ન કોઈ ધર્મની દીવાલ, ન ભેદભાવ, 2 મુસ્લિમ કરે છે સુંદરકાંડનો પાઠ

બુલંડખંડ વિસ્તારના મહોબા જિલ્લામાં બે મુસ્લિમ લોકો કોમી એકતાનું ઉદાહરણ બનીને ઉભર્યા છે. બંને આખા જિલ્લામાં સુંદરકાંડનો પાઠ વાંચતા નજરે પડી જાય છે. આ બંને છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ લોકો સાથે સુંદરકાંડનો પાઠ વાંચી રહ્યા છે. મુહમ્મદ ઝહીર એન સુલેમાન નામના આ બંને મુસ્લિમ યુવકો માટે હિન્દુ, મુસ્લિમ વચ્ચે ન કોઈ ધર્મની દીવાલ, ન કોઈ ભેદભાવ છે. બંને મુસ્લિમ વ્યક્તિ કાર્યક્રમમાં હિન્દુ સમાજ સાથે વર્ષોથી સુંદરકાંડનો પાઠ કરે છે.

હિન્દુ-મુસ્લિમ એકતા અને ભગવાનની એક ધારણા રાખનારા આ બંને મુસ્લિમ વ્યક્તિ સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ છે અને એ લોકોના ગાલ પર જોરદાર તમાચો છે જે ધર્મના નામ પર માણસાઈને વહેચીને અરસપરસના ભાઇચારા માટે નાસૂર બને છે. સુંદરકાંડનો પાઠ કરનારા સુલેમાનના પિતા બસીર ચાચા જે પોતે પણ ‘બાણાસુર’નો અભિનય કરતા રહ્યા છે. તેમણે મૃત્યુ અગાઉ પોતાના છોકરાઓને કહ્યું હતું કે, ‘મારા મોત બાદ ‘ચાલીસમુ’ પણ કરશો અને ‘તેરમુ’ પણ કરજો.

કુલપહાડ તાલુકાના સુગીરા ગામ સહિત જિલ્લામાં ક્યાંય પણ સુંદરકાંડ થાય છે, તો મોહમ્મદ ઝહીર અને સુલેમાનને બોલાવવામાં આવે છે. તેઓ ઈશ્વરને એક માને છે. સોમવારે રાત્રે ગામના જ અમિત દ્વિવેદીના ઘરમાં સુંદરકાંડનો પાઠ થયો હતો, જેમાં આ બંને મુસ્લિમ યુવકોને સુંદરકાંડનો પાઠ વાંચતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આજના આ નફરતના માહોલમાં પણ બંને મુસ્લિમ યુવક કોમી એકતાનું ઉદાહરણ બનીને ઉભર્યા છે અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારાને મજબૂત કરી રહ્યા છે.

ઢોલ, મંજીરા વચ્ચે ભક્તિમાં ડૂબેલા માહોલમાં બે મુસ્લિમ યુવકોનું સુંદરકાંડનો પાઠ કરવાનું બધાને પસંદ આવ્યું છે. મુહમ્મદ ઝહીર કહે છે કે, તે 16 વર્ષથી સુંદરકાંડનો પાઠ કરી રહ્યો છે. આપણે હિન્દુ-મુસ્લિમ એક છીએ અને એક જ રહીશું. જેમણે રાજનીતિના રોટલા સેકવા હોય તેઓ હિન્દુ-મુસ્લિમમાં ભેદ નાખી રહ્યા છે. આપણી ભાવનાઓ સાથે રમી રહ્યા છે. આપણે હિન્દુ-મુસ્લિમ એક સમાન છીએ અને ભગવાન એક છે. તો સુલેમાને કહ્યું કે, તે પણ 16 વર્ષોથી સુંદરકાંડનો પાઠ કરી રહ્યો છે.

તેણે કહ્યું કે, અમારા ગામમાં હિન્દુ-મુસ્લિમમાં કોઈ ભેદભાવ નથી અને બધા મળીને રહે છે. એક-બીજાના તહેવારમાં પણ સામેલ થાય છે. તેનું કહેવું માનીએ તો ખરાબ સમયમાં હિન્દુ ભાઈ તેમની મદદ પણ કરે છે. બતાવે છે કે તેના પિતા પણ રામલીલાનું પાત્ર ભજવતા હતા અને તેમની પાસે જ સાંપ્રદાયિક સૌહાર્દની શીખામણ મળી છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.