નથી માની રહ્યા DMK નેતા ઉદયનિધિ સ્ટાલિન, હવે સનાતન ધર્મને લઈને કહી દીધી આ વાત

તામિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને ફરી એક વખત વિવાદ ઊભો કરતા સોમવારે પોતાના વિચારોનું સમર્થન કર્યું કે સનાતન ધર્મનો હંમેશાં વિરોધ કરવો જોઈએ. INDIA ગઠબંધનના ઘટક દળ DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનના ગત નિવેદનો પર અગાઉ પણ ભારે વિવાદ થઈ ચૂક્યો છે, એવામાં તેમનું આ નવું નિવેદન વિપક્ષી પાર્ટીઓ માટે મુશ્કેલ બની શકે છે. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મલેરિયા સાથે કરી હતી. ત્યારબાદ ખૂબ વિવાદ થયો હતો અને INDIA ગઠબંધનના નેતા અસહજ સ્થિતિમાં પહોંચી ગયા હતા.

મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્યના યુવા કલ્યાણ તેમજ સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનો પર નિષ્ક્રિયતાને લઈને મદ્રાસ હાઇકોર્ટે તામિલનાડુ પોલીસને જોરદાર ફટકાર લગાવી હતી. ત્યારબાદ જાહેર કરેલા હાલના નિવેદનમાં ઉદયનિધિ સ્ટાલિને ફરી એક વખત સનાતન ધર્મનો વિરોધ કરવાની વાત કહી. તામિલનાડુ પોલીસને ફટકાર લગાવતા મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને વિભાજનકારી વિચારોને પ્રોત્સાહન આપવા કે કોઈ વિચારધારાને ખતમ કરવાનો અધિકાર નથી.

પોતાના હાલના નિવેદનમાં ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, આપણે ઘણા વર્ષોથી સનાતન બાબતે વાત કરી રહ્યા છીએ. રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET) એક હાલનો મુદ્દો છે. સનાતન ધર્મનો મુદ્દો સેકડો વર્ષ જૂનો છે. અમે તેનો હંમેશાં વિરોધ કરીશું. ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, તેમણે કંઇ પણ ખોટું કહ્યું નથી. મેં જે કહ્યું એ સાચું હતું અને હું કાયદાકીય પરિણામ ભોગવવા તૈયાર છું. હું પોતાનું નિવેદન નહીં બદલું. ઉદયનિધિનું માનવું છે કે, સનાતન ધર્મનો વિરોધ કરવાની જગ્યાએ તેને સમાપ્ત કરી દેવો જોઈએ.

DMK નેતાએ આ અગાઉ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, સનાતન નામ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યું છે. જે સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. આપણે કોરોના, ડેન્ગ્યૂ અને મચ્છરોનો વિરોધ નહીં કરી શકીએ. આપણે તેને સમાપ્ત કરવા પડશે અને એ જ પ્રકારે સનાતનને સમાપ્ત કરવો પડશે. હવે ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનની રાજકારણ પર શું અસર થાય છે અને સામાન્ય જનતા તેને કેવી રીતે લે છે તે તો આગામી દિવસોમાં ખબર પડી જ જશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.